સાવરકુંડલા-અમરેલી નેશનલ હાઇવેના સ્પીડ બ્રેકર અકસ્માત ઝોન બન્યા

  • February 24, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ચારેક દિવસ પહેલા સાવરકુંડલા થી અમરેલી જે નેશનલ હાઈવે નં. ૩૫૧ છે તેમાં બળીયા હનુમાન મંદિરથી ચરખડિયા તરફ ફક્ત એક જ કિલોમીટરમાં માત્ર ૨૦૦ મીટરના અંતરે એક સાથે ચાર ચાર સ્પીડ બ્રેકર્સ ઉભા કરવામાં આવ્યો છે. કોઈપણ સાઈન બોર્ડ કે કોઈપણ ધારાધોરણ વગરના રાતોરાત ખડકી દેવાયેલા આ સ્પીડ બ્રેકર્સ થી રોજીંદી મુસાફરી કરતા બાઈક સવારો ધડાધડ પટકાય છે. ગઈકાલે અમરેલીના નાના ભંડારિયા ગામે રહેતા છગનભાઇ પુનાભાઇ માધડ અને પત્ની દયાબેનને બાઇકમાં બેસાડી જઇ રહ્યા હતાં ત્યારે હાઇવે પરના સ્પીડ બ્રેકર ઉ૫ર દંપતી ઉછળતા રસ્તામાં દૂર સુધી પટકાયા હતાં. જેમાં બન્નેને ઇજા થઇ હતી. બે દિવસ પહેલા પણ એક માલ ભરેલ ટ્રેક્ટર ટોલી સાથે અહીં પલટી ખાઈ ગયું હતું. અહીંથી પસાર થતાં મુસાફરોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, 
અમરેલી સાવરકુંડલા બાયપાસ જંકશન ઉપર સ્પીડબેકર્સની જરૂરિયાત છે ત્યાં છે જ નહીં અને જ્યાં જ‚ર નથી ત્યાં સ્પીડ બ્રેકર રાતો રાત બનાવી નાખવામાં આવ્યા છે જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
આ બાબતે જિલ્લા કલેકટર અમરેલી, જિલ્લા રાષ્ટ્રીય ધોરી માર્ગ કચેરી અમરેલી અને કાર્યપાલક ઇજનેર કચેરી નેશનલ હાઇવે ઓથોરિટી રાજકોટને લેખિત પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application