શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ગોતમેશ્વરનગર શેરી નંબર ૧માં વગર મંજૂરીએ શેડ ઉભા કરી દેવાયા અંગે મ્યુ. કમિ. સમક્ષ કરવામાં આવેલી રજુઆતના પગલે મહાપાલિકાના દબાણ હટાવ સેલ ના કાફલાએ કમિશ્નર ઉપાધ્યાયની સીધી સૂચના હેઠળ જેસીબી સાથે ત્રાટકી ગેરકાયદેસર ઉભા કરી દેવાયેલા શેડ તોડી પાડી જગ્યા દબાણ મુક્ત કરી હતી. જ્યારે રવિવારે મુખ્યમંત્રીના ભાવનગર શહેર-જિલ્લાના પ્રવાસ સંદર્ભે મહાપાલિકા તંત્ર દ્વારા મુખ્ય મંત્રીના રૂટ વિમાન ઘરથી રૂવાથી સુભાષનગર રોડ સહિતના વિસ્તારમાંથી નાના-મોટા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લારી, ગલ્લા અને કેબીન તેમજ અન્ય અડચણરૂપ એવા અસ્થાઈ દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં મ્યુ. તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી દબાણ હટાવ અભિયાન શરૂ કરાયું છે. જેમાં અપવાદરૂપ જાહેરરજાઓ સિવાઈ અવરિત જારી રહ્યું છે. ત્યારે દબાણકર્તાઓ પણ સતત દબાણો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મહેસુલી અધિકારીઓની બેઠક યોજાઈ
April 16, 2025 05:35 PMનેહરૂ યુવા કેન્દ્રનું કાર્યાલય બેડેશ્વર સરકારી કોલોની ખાતે સ્થળાંતરીત કરાયું
April 16, 2025 05:18 PMઅગ્નીવીર આર્મી ભરતી રેલી માટે આગામી તા.૨૫ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
April 16, 2025 05:12 PMઉનાળામાં આ રીતે લગાવો મુલતાની માટી, ચહેરો બનશે સોફ્ટ અને શાઈની
April 16, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech