જામનગરના ગુરુદ્વારા ચોકડી પાસે ઓવરબ્રિજ નીચેનો રસ્તો આખરે ખુલ્લો થયો

  • September 07, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે બની રહેલા ઓવરબ્રિજ ના સ્થાને પુલના નિર્માણ કાર્યને લઈને જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને છેલ્લા દોઢ માસથી રસ્તો બંધ કરાવવામાં આવ્યો હતો. દરમિયાન આજે ગુરુદ્વારા ચોકડી પાસે ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થયું હોવાથી તેની નીચેની તમામ આડશ વગેરે દૂર કરી લેવામાં આવ્યા છે, અને જામનગરના જી.જી. હોસ્પિટલ થી ગુરુદ્વારા તરફ જવા માટે અને ગુરુદ્વારા થી જી.જી. હોસ્પિટલ તરફ જવાનો માર્ગ ખુલ્લો થયો છે, અને આજથી વાહન વ્યવહાર પૂર્વવત બન્યો છે. જેથી ટ્રાફિક સમસ્યા થોડી હળવી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application