તંત્ર દ્વારા માત્ર થિગડાં મારી સંતોષ માની લેવાયો...
ખંભાળિયા તાલુકાના વાડીનારથી કજુરડા પાટિયાનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં હોય રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખંભાળિયા તાલુકાના વાડીનારથી કજુરડા પાટિયાનો અતિ બિસ્માર રોડ ઘણાં સમયથી ખરાબ હાલતમાં હોય, સોશિયલ મીડિયામાં પણ તેના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કજુરડાથી કજુરડા પાટિયા સુધીમાં માત્ર થિંગડા મારી સંતોષ માની લેવાયો છે અને વાડીનારથી કજુરડા રોડમાં મસમોટા ખાડા યથાવત છે.
તંત્ર દ્વારા માત્ર થુંકની જેમ ખાડા પૂરવામાં આવ્યા છે. એ પણ મોટા-મોટા ખાડા હોય ત્યાં જ અને વાડીનારથી કજુરડી સુધીનો રોડ તો ભૂલી જ ગયા કે શું? ગાડીઓને થતાં નુકસાનની જવાબદારી કોની? રોડ પર રોજ થતાં અકસ્માત, ગાડીથી પસાર થતાં ગાડીઓમાં નુકસાન થતું તેનું જવાબદાર કોણ? આ રોડ છેલ્લાં ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે.
મહાકાય કંપની ધરાવતો એરિયા સુવિધાથી વંચિત, ડેઈલી અપ-ડાઉન કરતાં રાહદારીઓ, વેપારી વર્ગ, વિદ્યાર્થી, ગ્રામજનો, કોન્ટ્રાક્ટર, મજૂરોને પડતી મુશ્કેલીનું જવાબદાર કોણ? ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવું કામકાજ આ તેર કિલોમીટરના રોડમાં સાત ગામના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMજો ઝડપથી ફેટ બર્ન કરવા માંગો છો, તો ખાલી પેટે ખાઓ આ ફળ
April 02, 2025 05:01 PMદહીંમાંથી બનેલી આ વાનગીઓ ઉનાળા માટે રહેશે બેસ્ટ, સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ જળવાશે
April 02, 2025 04:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech