લુપ્ત થયેલી પાંખોવાળી બ્લૂ વ્હેલના અવશેષો આજે પણ જામનગરમાં મોજૂદ છે...!

  • February 19, 2025 10:59 AM 

શું તમને ખબર છે, જામનગરના લાખોટા ખાતે આવેલ મ્યુઝિયમમાં લુપ્ત થઈ ગયેલી ફિન્ડ બ્લૂ વ્હેલના અવશેષો તરીકે સંપૂર્ણ 46 ફૂટ લાંબુ હાડપિંજર હાજર છે...!



બ્લૂ વ્હેલ એક દરિયાઈ સસ્તન પ્રાણી છે. તે પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી છે. સામાન્ય રીતે બ્લૂ વ્હેલની લંબાઈ 100 ફૂટની આસપાસ હોય છે, તેનું વજન 199 ટન સુધી એટલે કે 30 હાથીના વજન જેટલું હોઈ શકે છે. બ્લૂ વ્હેલ લગભગ 110 વર્ષ જીવે છે. બ્લૂ વ્હેલની જીભનું વજન એક હાથીના વજન જેટલું હોય છે. આ જીભ એટલી લાંબી હોય છે કે આખી ક્રિકેટ ટીમ તેના પર આરામથી ઉભી રહી શકે છે. બેબી બ્લૂ વ્હેલ લગભગ 7 મીટર લાંબી હોય છે, જે પુખ્ત આફ્રિકન હાથી જેટલી હોય ​​છે.


હવે તમે વિચારતા હશો કે બ્લૂ વ્હેલ અને જામનગર વચ્ચે શું કનેક્શન છે? પરંતુ જામનગર અને બ્લૂ વ્હેલનું પણ મોટું જોડાણ છે. વાસ્તવમાં, જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલા લાખોટા તળાવના મ્યુઝિયમમાં બ્લૂ વ્હેલનું વિશાળ હાડપિંજર છે. ઘણી વખત દર્શકો તેને ડાયનાસોરનું હાડપિંજર માને છે, પરંતુ વાસ્તવમાં તે બેબી બ્લૂ વ્હેલનું હાડપિંજર છે. જામનગર શહેરના લાખોટા મ્યુઝિયમમાં બેબી બ્લૂ વ્હેલનું 40 ફૂટ લાંબુ હાડપિંજર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેનું હાડપિંજર છે તે બેબી વ્હેલની ખાસ વાત એ હતી કે તે એક ફિન્ડ બ્લૂ વ્હેલ હતી, જે હવે લુપ્ત પ્રજાતિ છે. જેમનું હાડપિંજર આજે પણ જામનગર મ્યુઝિયમમાં સલામત રીતે મોજુદ છે. તે મ્યુઝિયમના મુલાકાતીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે.



આ હાડપિંજર ક્યાંથી આવ્યું...?

1976 માં, જામનગર નજીકના દરિયાઈ વિસ્તાર સલાયાના કિનારે એક ફિનવાળી બ્લૂ વ્હેલ મૃત હાલતમાં મળી આવી હતી. તે તરીને કિનારે પહોંચી ગઈ હતી, જે તે સમયે ખૂબ જ આશ્ચર્યજનક બાબત બની હતી. તત્કાલીન સરકાર દ્વારા તેને જામનગરના લાખોટા મ્યુઝિયમમાં ખસેડવામાં આવી હતી, આજે આટલા વર્ષો પછી પણ તેનું હાડપિંજર અહીં સચવાયેલું છે. મ્યુઝિયમમાં હાજર બ્લૂ વ્હેલનું હાડપિંજર 46 ફૂટ લાંબુ અને 20 ટન વજનનું છે.



જામનગર શહેરના લાખોટા મ્યુઝિયમમાં બેબી બ્લૂ વ્હેલનું 46 ફૂટ લાંબુ હાડપિંજર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ હાડપિંજરને જે ખાસ બનાવે છે તે એ છે કે તે ફિન્ડ બ્લુ વ્હેલનું છે, જે હવે લુપ્ત થઈ ગઈ છે. આ બેબી બ્લૂ વ્હેલનું હાડપિંજર જોઈને કોઈને પણ મૂંઝવણ થઈ જાય છે કે તે ડાયનાસોરનું હાડપિંજર છે અને કેમ નહીં, જે રીતે આપણે પુસ્તકોમાં અને ટીવી પર ડાયનાસોરના ચિત્ર જોયા છે, બેબી બ્લૂ વ્હેલનું આ હાડપિંજર તેની સાથે ખૂબ જ મેળ ખાય છે. આ બ્લૂ વ્હેલનું હાડપિંજર લગભગ 50 વર્ષથી છે. આ હાડપિંજરે વર્ષોથી ઘણી ઋતુઓ અને આબોહવા સહન કર્યા છે, પરંતુ મ્યુઝિયમમાં તેની વિશેષ કાળજીને કારણે તે હજી પણ તેના મૂળ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.


1966થી બ્લૂ વ્હેલના શિકાર પર પ્રતિબંધ છે. હવે આઇસલેન્ડ, કેનેડા, શ્રીલંકા, કેલિફોર્નિયા, માલદીવ્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં બ્લૂ વ્હેલ જોવા મળે છે પરંતુ ખૂબ જ ભાગ્યે જ. તે ધીમે ધીમે સંપૂર્ણ લુપ્ત થવાની આરે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિશાળ બ્લૂ વ્હેલ મ્યુઝિયમ છે, જેમાં દુનિયાભરની બ્લૂ વ્હેલ સાથે સંબંધિત વસ્તુઓ એકત્ર કરવામાં આવી છે. જામ શ્રી દિગ્વિજય સિંહજી અંતર્ગત, જામનગર ખાતે પુરાતત્વ સંગ્રહાલયની સ્થાપના ઇ.સ. 1946 માં કરવામાં આવી હતી. જામનગરનો પુરાતત્વ સંગ્રહાલય 1960 થી ગુજરાત રાજ્ય સરકાર હેઠળ કાર્યરત છે. આ મ્યુઝિયમ શિક્ષણ, અભ્યાસ, લોકોને જાગૃતિ લાવવા અને આપણા સમૃદ્ધ વારસા પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો પ્રયાસ કરે છે. જામનગરના લાખોટા તળાવ ખાતે આવેલું આ મ્યુઝિયમ, જ્યાં બેબી બ્લૂ વ્હેલનું હાડપિંજર પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે, તે અમેરિકાના મોટા મ્યુઝિયમનું એક નાનું પ્રતિબિંબ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application