રૈયારોડ પર મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા વૃધ્ધાને સગીરે ધક્કો મારી પછાડી દીધા બાદ અન્ય ચાર મહિલાઓએ પૈકી એકે વૃધ્ધાના ગળામાંથી .૨.૩૩ લાખનો સોનાનો ચેઇન આંચકી લીધો હતો.વૃધ્ધાએ બુમાબુમ કરતા તેમના એક પરીચીતે આ શખસોનો પીછો કરી બે મહિલા અને સગીરને પકડી લઇ પોલીસને હવાલે કર્યા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર ટીનીટ્રી ટાવરમાં રહેતા વૃદ્ધા જય લમીબેન કાનગન(ઉ.વ ૭૦) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભારતીબેન કાનાભાઈ વાજેલીયા, કાજલ સાગરભાઇ સોલંકી, સગીર તથા બે અજાણી યુવતીના નામ આપ્યા છે.
વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર આઈઓસીએલમાં નોકરી કરે છે અને તે છેલ્લા બે વર્ષથી અહીં પુત્ર સાથે અહીં રહે છે ગઈકાલ સવારના ૧૧:૩૦ વાગ્યા આસપાસ તેઓ રૈયા રોડ પર આવેલ રામેશ્વર ચોક પાસે મંદિરે દર્શન કરવા માટે ચાલીને ગયા હતા. દર્શન કર્યા બાદ બારેક વાગ્યા આસપાસ ચાલીને ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે અહીં મંદિર પાસે જ એક સગીરે તેને પાછળથી ધક્કો માર્યેા હતો જેથી તેઓ પડી ગયા હતા બાદમાં અન્ય એક ક્રી તથા બે યુવતીઓ તેમની પાસે આવ્યા હતા અને તેઓ અંદર અંદર વાતચીત કરતા વૃદ્ધા ગભરાઈ ગયા હતા.
દરમિયાન આ ચારમાંથી કોઈ એકે વૃધ્ધાના ગળામાં જોટ મારી ચેઇન સેરવી લીધો હતો જેની જાણ થતા વૃદ્ધાએ બૂમાબૂમ કરતા આ શખસો અહીંથી ભાગી ગયા હતા. આ સમયે વૃદ્ધાના પરિચિત કરિયાણાની દુકાનવાળા વિપુલભાઈ દોડીને તેમની પાસે આવ્યા હતા અને બાદમાં તેમને આ વાતની જાણ થતા બાઈક લઇ આ શખ્સોની પાછળ ગયા હતા. જેમાંથી ભારતી, કાજલ અને સગીરને ઝડપી લઇ પોલીસને જાણ કરતા પીસીઆર વાન આવી હતી અને આ ત્રણેયને બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આમ આ ત્રણ શખ્સો સહિત પાંચેય મળી વૃધ્ધાના ગળામાં જોટ મારી તેમણે પહેરેલ .૨.૩૩ લાખની કિંમતનો સોનાનો ચેઇન આંચકી લીધો હોય જે અંગે વૃદ્ધાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી અન્ય બે મહિલાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech