બર્ધનચોકમાં પથારાવાળાઓ સરકારી આદેશનો અમલ ન કરતા હોય તો હિન્દુ સેના જામપાની મદદે આવવા તૈયાર
જામનગરના બર્ધન ચોકમાં પથારા વાળાનો ત્રાસ હદ વટાવી ચૂક્યો છે. એક તો ગેરકાયદેસર દબાણ અને બીજી બાજુ આવતા જતા બહેન દીકરીઓની ઠઠ્ઠા મશ્કરી થતી હોય છે. પથારા વાળાઓ બીજી દુકાનો પણ ધરાવે છે, પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા અને પોતાનું વર્ચસ્વ આજે જામપા કે ટ્રાફિક તંત્રને પણ દાદ દેતું નથી.
બર્ધનચોક વિસ્તારમાં નો હોકિંગ ઝોનના કેસમાં કડક ચુકાદો આપેલ હોવા છતાં મહાનગરપાલિકા અને ટ્રાફિક તંત્ર લારી ગલ્લા પથારા વાળાઓના દબાણોની દાદાગીરી ને દૂર કરી શકતા નથી.
પથારા વાળા ગરીબ છે, તેમ કહેનારને હોલસેલની બીજી દુકાનો ચાલે છે. અને ઘરના બબ્બે વાહનો છે. જેમાં ફોરવીલર નો પણ સમાવેશ થાય છે. પોતાની માલિકીના મકાનો ધરાવે છે છતાં ગરીબ હોવાના નાટક રચે છે.
તંત્રની ઢીલી નીતિથી ટ્રાફિક સમસ્યા નો ભોગ પ્રજા બને છે. હિન્દુ સેના દ્વારા ઉચ્ચ સ્તર સુધી તેમજ મ્યુનિ. કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલી છે, અને કડક કાર્યવાહીથી અમલવારી કરવા માંગણી કરી છે.
તળાવની પાળની શાક બકાલા માર્કેટને અન્ય સ્થળે ખસેડી શકાતી હોય, ખંભાળિયા નાકાએ હિન્દુઓના ખાણીપીણીના સ્ટોલ રેકડી જામપા બંધ કરાવી શકતી હોય, તો પછી બર્ધનચોક ના પથારાવાળાને કાયમી બંધ કરાવવામાં જામપાને ક્યુ ગ્રહણ લાગેલ છે, તો પછી બર્ધનચોકમાં ચોક્કસ કોમના પથારાવાળાઓને અલગ જગ્યાએ શિફ્ટ કરાવવા અથવાતો ગેરકાયદેસર પથારાઓ ઉપાડી બંધ કરવા જોઈએ. એકને ગોળ અને એક ને ખોળની નીતિથી જામપા કામ ન કરે બર્ધનચોક ના નો હોકિંગ ઝોનના કેસમાં અદાલતે આપેલા આદેશનો ઉલાળીયો થઈ શકતો હોય, અને ટ્રાફિક તંત્ર કાંઈ કરી શકતું ન હોય તો હિન્દુ સેના આ કાર્ય કરી આપવા તૈયાર છે.
લાખોની કિંમતના લોન સાથે હિન્દુ વેપારીઓએ દુકાનો ખરીદી અને વર્ષોથી ધંધા કરતા હોય તેની આગળ પથારા વાળાઓ કબજો જમાવતા હોય જેથી લાખોની કિંમતની દુકાનો ધૂળ બરાબર છે અને અદાલતે આપેલા આદેશની અમલવારી તંત્ર ન કરી શકતું હોય તો અમલવારી કરાવવા હિન્દુ સેના શહેર મંત્રી મયુર ચંદનએ તંત્રની મદદે આવવા હિન્દુ સેનાની હંમેશા તૈયારી બતાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech