પોરબંદરના વેપારીઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હોવાથી તેઓને બિરદાવવામાં આવ્યા હતા. પોરબંદરની મુખ્ય બજારમાં આવેલા કુબેર લાઇફ સ્ટાઇલ કોમ્પલેક્ષના વેપારીઓ દ્વારા શ્રાવણ માસના ચાર સોમવાર શિવજીને રીજવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો અનેક વેપારીગણ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. વેપારીઓ પોતાના કામધંધા સાથે શિવજીની આરાધના સાથે શિવમંત્રનું જાપ કરે એ રીતનું આયોજન ક્રિષ્નાબેન ઠાકર દ્વારા સ્વખર્ચે યોજવામાં આવ્યુ હતુ. આ આયોજન કરવા બદલ શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા વેપારીઓને બિરદાવવામાં આવેલ. શૈલેષભાઇ ઠાકર દ્વારા સાંઇબાબા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ વલ્લભભાઇ પટેલીયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ ભરતભાઇ પાંઉનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શ્રીચંદભાઇ ભાવનાણી તેમજ કમલેશભાઇ દાસાણીનું ભરતભાઇ પાંઉ દ્વારા હારતોરા કરી તેમને ધાર્મિક કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવેલ. સાથે જયંતીભાઇ હોદાર, આનંદભાઇ જોશી, નીતિનભાઇ ભાવનાણીની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા વધુમાં વધુ ધાર્મિક કાર્યક્રમો થતા રહે વધુને વધુ વેપારીઓ ભક્તિકાર્યોમાં જોડાય એવી શુભકામના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાઠવવામાં આવી હતી. કુબેર લાઇફ સ્ટાઇલ કોમ્પલેક્ષમાં આ રીતનું ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સૌ પ્રથમવાર થયેલ હોય ચેમ્બર દ્વારા ઠાકર ઇન્વેસ્ટમેન્ટને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વેપારીઓ દ્વારા વધુને વધુ સેવાકીય કાર્યો થતા રહે. ‘કામ કરતા જાવ અને પ્રભુ ભક્તિ કરતા જાવ’ તેવા ઉદેશ સાથે ક્રિષ્નાબેન ઠાકર દ્વારા શ્રાવણ માસના સોમવારે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેને શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા બિરદાવવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech