રાજકોટ-દીવ રૂટની એકમાત્ર એસટી બસની કાયમી ધોરણે અનિયમિતતાથી ઉતારૂઓ ત્રાહિમામ

  • November 02, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માર્ગઅને વાહન વ્યવહાર નિગમનાં રાજકોટએસટી ડિવિઝન હેઠળનાં રાજકોટ ડેપોદ્વારા સનચાલીત કમાઉ દીકરા સમાન અને નફાકારક ગુર્જરનગરી એક્સપ્રેસ બસ રૂટ રાજકોટ. દીવ વાયા કોડીનાર છેલ્લ ા ઘણાં સમયથી અનિયમિત હોવાથી રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ પંથકના ઉતારુઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી, એસટી નિગમ, એસટી ડીવીજન રાજકોટ, એસટી ડેપો, રાજકોટ અને કોડીનારનાં ધારાસભ્ય સહિતના લોકોને રજુઆત કરી છે


મુસાફર જનતાનાં સૂત્રોનાં જણાવીયા મુજબ રાજકોટ-દીવ બસનો રાજકોટથી ઉપડવાનો સમય બપોરે ૧૨ વાગ્યાનો છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી આ બસ સાડાં બારથી પોણા એક વાગ્યાની આસપાસ ઉપડે છે જેના કારણે મુસાફર જનતા ભારે પરેશાનીનો સામનો કરે છે. આ બસની અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાયમી ધોરણે ઉકેલ આ બની બેઠેલા અધિકારીઓ કાઢતા નથી અને મુસાફરો વધુને વધુ હેરાન થાય તેમનવા નવા નુસખા અજમાવે છે. આનું કારણ જાણવા મળ્યુ કે રાજકોટ એસ ટી પાસે વાહન નહોવાને કારણે આ એક જ બસ રાજકોટ થી દીવ અને દીવ થી રાજકોટ વચ્ચે ચાલે છે જેથી સમય સર ઉપડતી નથી તો એસટી તંત્ર આ દીવ. રાજકોટ ‚ટ ઉપર સામ સામી બે બસ મૂકે અને રાજકોટ-જુનાગઢ વચ્ચે નોન સ્ટોપ કરે તો જ રેગ્યુલર થાય કેમકે કેશોદ અને વેરાવળ પાસે ડાઈવર્ઝનનાં કારણે અડધીથી પોણી કલાક વધુ લાગે છે રાજકોટ ડેપોથી આ બસનું સંચાલન થતું ન હોઇ તો રાજકોટ ડિવિઝનનાં અન્ય ડેપોને ફાળવવા રજુઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application