ગીરસોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ક્ષેત્રિય મુલાકાત દરમ્યાન દબાણ દૂર કરવાની સૂચના આપતા કરોડો પિયાની સરકારી જમીન પરનું દબાણ દુર થયું. ઉનાના વરસિંગપુર ગામે સ્વેચ્છાએ લોકોએ ૭૪ લાખની જમીન પરનું દબાણ દૂર કયુ હતું. તેમજ ગીરગઢડાના જૂના ઉગલા ગામે આશરે ૯ કરોડ ૫૦ લાખની ૨,૩૪,૯૭૦ ચો.મી. જમીન પરનું દબાણ ખુલ્લ ું કરવામાં આવ્યું હતું.
ઉના તાલુકાની જીલ્લ ા કલેકટરની મુલાકાત દરમિયાન તાલુકાના ગામોએ રોડ પરના તમામ દબાણો, જાહેર સ્થળો અને રસ્તાઓ પર નડતરરૂપ વિવિધ હંગામી દબાણો દૂર કરવા સૂચના આપી હતી. જે લઇ ઉના તાલુકાના વરસિંગપુર ગામે વસીપુર–રાતડ જાહેર રસ્તાની બંને સાઈડના ગામતળ, ગૌચરની ૪૯૭૦ ચો. મી. જમીન કુલ કિંમત પિયા ૭૪ લાખ ૫૫ હજારની કિંમતની સરકારી જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી.
તેમજ ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લ ા ત્રણેક દિવસથી ચાલુ છે. જે અંતર્ગત આજરોજ કુલ ૨૯ દબાણદારો દ્રારા દબાણ કરવામાં આવેલ કુલ ૨,૩૦,૦૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે . ૫ કરોડ ૬૦ લાખની જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી. આમ જુના ઉગલા ગામે અત્યાર સુધીમાં કુલ ૮૦ દબાણદારો દ્રારા દબાણ કરેલ આશરે ૩૯૧૫૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે . ૯ કરોડ ૫૦ લાખની જમીન ખુલ્લ ી કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલ દબાણ ખુલ્લ ું કરવાની કામગીરી ચાલુ રહેશે તેવુ જણાવેલ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech