બાંગ્લાદેશમાં શરૂ થયેલું આંદોલન મારી હત્યા માટે: શેખ હસીના

  • February 06, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને હિંસા વચ્ચે, પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ અવામી લીગ પક્ષના સમર્થકોને સંબોધિત કયર્િ હતા અને તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ખરેખર તેમની હત્યા કરવા માટે છે. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી.શેખ હસીનાએ કહ્યું કે જો આ હુમલાઓ છતાં અલ્લાહે મને જીવિત રાખી છે, તો મારે કંઈક કરવું જ જોઈએ. જો આવું ન હોત તો હું મૃત્યુને આટલી વાર કેવી રીતે હરાવી શકી હોત.શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન ખરેખર તેમની હત્યા કરવા માટે છે. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી.સંબોધનમાં તેમણે પોતાના નિવાસસ્થાન પર થયેલા હુમલા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે ઘરને કેમ આગ લગાવવામાં આવી? હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાયની માંગ કરું છું. શું મેં મારા દેશ માટે કંઈ નથી કર્યું? તો આટલું બધુ અપમાન શા માટે? આ હુમલા પર દુ:ખ વ્યક્ત કરતા હસીનાએ કહ્યું કે મારી અને મારી બહેનની જે પણ યાદો બાકી હતી તે હવે ભૂંસાઈ ગઈ છે. ઘરો બાળી શકાય છે પણ ઇતિહાસ ભૂંસી શકાતો નથી. મધ્યરાત્રિએ બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ધનમોન્ડી-32 ખાતેના નિવાસસ્થાનને આગ ચાંપી દીધી. તેમનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું.

જો હસીનાને રાજકીય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાશે તો ભારત જવાબદાર રહેશે: યુનુસ સરકાર
બાંગ્લાદેશની વચગાળાની સરકાર પ્રત્યાર્પણ સંધિ હેઠળ પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના અને અન્ય લોકોને ભારતમાંથી પાછા લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ગૃહ સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે હસીના (77) ગયા વર્ષે 5 ઓગસ્ટથી ભારતમાં રહે છે, જ્યારે તેઓ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના મોટા વિરોધ પ્રદર્શનો વચ્ચે બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા.બાંગ્લાદેશે નવી દિલ્હીને એક રાજદ્વારી નોંધ મોકલીને હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. ગૃહ સલાહકારે કહ્યું કે તેઓ દેશમાં રહેતા લોકોની ધરપકડ કરી રહ્યા છે જ્યારે વિદેશમાં રહેતા અન્ય લોકોને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે.હસીના વિરુદ્ધ રેડ નોટિસ જારી કરવામાં પ્રગતિ વિશે પૂછવામાં આવતા, પોલીસ વડા બહરુલ આલમે કહ્યું કે તેમને આશા છે કે ઇન્ટરપોલ ટૂંક સમયમાં આઇસીટી દ્વારા વોન્ટેડ વ્યક્તિઓ સામે નોટિસ જારી કરશે.તેમણે કહ્યું, આઇસીટી દ્વારા રેડ નોટિસ જારી કરવામાં આવી હોવાથી, યજમાન દેશ તેમની ધરપકડ કરવા માટે જવાબદાર છે, માહિતી અને પ્રસારણ સલાહકાર નાહિદ ઇસ્લામે કહ્યું કે જો હસીનાને ત્યાંથી રાજકીય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવશે, તો ભારત તેના માટે જવાબદાર રહેશે. તેમણે કહ્યું, અમે ભારતને શેખ હસીનાને બાંગ્લાદેશ પાછા મોકલવા કહ્યું છે, અને આ એક રાજદ્વારી મુદ્દો છે, પરંતુ જો શેખ હસીના ત્યાંથી રાજકારણ કરવાનો પ્રયાસ કરે છે, ભારતમાં રાજકીય બેઠકો કરે છે, તો આ માટે ભારત સરકાર જવાબદાર રહેશે.

પરિસ્થિતિ ખૂબ જ ગંભીર
અવામી લીગના પ્રદર્શનના એક દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. એક અહેવાલ મુજબ, તોફાનીઓએ દરવાજો તોડી નાખ્યો અને શેખ મુજીબુરહમાનના નિવાસસ્થાનમાં બળજબરીથી પ્રવેશ કર્યો. માહિતી અનુસાર, આ વિરોધ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના દ્વારા આપવામાં આવેલા ઓનલાઈન ભાષણના જવાબમાં શરૂ થયો હતો. વિરોધીઓએ બદલો લેવા માટે ધનમંડી 32 સુધી બુલડોઝર કૂચ કરવાની યોજના જાહેર કરી હતી. જોકે શરૂઆતમાં તેઓએ રાત્રે 9 વાગ્યે બુલડોઝરથી ઘર તોડી પાડવાની ધમકી આપી હતી, પરંતુ વિરોધીઓએ તેમની યોજના બદલી નાખી અને રાત્રે 8 વાગ્યા સુધીમાં પહોંચી ગયા. તેઓ રેલીના રૂપમાં નિવાસસ્થાને પહોંચ્યા અને મુખ્ય દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા અને મોટા પાયે તોડફોડ કરી.

બુલડોઝરથી ઇતિહાસ ભૂંસી શકાતો નથી
પોતાના સંબોધનમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું કે તેમનામાં હજુ પણ એટલી તાકાત નથી કે તેઓ લાખો શહીદોના જીવનના ભોગે પ્રાપ્ત કરેલી રાષ્ટ્રધ્વજ, બંધારણ અને સ્વતંત્રતાને તોડી પાડી શકે અને તેનો નાશ કરી શકે. તેઓ ઘર તોડી શકે છે, પણ ઇતિહાસ નહીં. તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ પોતાનો બદલો લે છે. બુલડોઝરથી ઇતિહાસ ભૂંસી શકાતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application