રાજકોટના મવડી કણકોટ રોડ પર ફ્લોર પ્લાઇનમાં આજરોજ એક કરૂણ ઘટના બની હતી. જેમાં પરણીતાએ કોઈ લીક્વીડ પી બાદમાં પોતાની બે વર્ષની બાળકીને બાથમાં દબાવી સુઈ ગઈ હતી. જે અંગેની જાણ પરિવારજનોને થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિણીતાના આ બીજા લગ્ન હોય અને જિંદગીથી કંટાળી તેણે લિકવિડ પી આંગળીયાત પુત્રીને બાથમાં દબાવી આ પગલું ભરી લીધું હતું. જોકે બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું કે અન્ય કોઈ રીતે? તે જાણવા માટે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પી.એમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું સચોટ કારણ જાણી શકાશે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કણકોટ મવડી રોડ પર શ્યામલ ઉપવન પાછળ ફ્લોર પ્લાઇન બ્લોક નંબર 302માં રહેતા પટેલ પરિવારમાં આ ઘટના બની હતી. અહીં રહેતી પરિણીતા નમ્રતાબેન કેવિનભાઈ જસાણીએ ગઈકાલે બપોરના 2:00 વાગ્યા આસપાસ કોઈ ઝેરી લીક્વીડ પી લઈ બાદમાં પોતાની બે વર્ષની બાળકી જીયા જસાણીને બાથમાં દબાવી સુઈ ગઈ હતી. જેની જાણ પરિવારજનોને થયા બાદ માતા-પુત્રી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી બે વર્ષની બાળકી જીયાને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એલ.બી. ડીંડોર તથા રાઇટર જયદીપભાઇ સહિતનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નમ્રતાબેન અને તેમના પતિ કેવિન બંનેના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા અને આ બીજા લગ્ન છે. પરિણીતાનો પતિ કેવિન કારખાનેદાર હોવાનું જાણવા મળ્યું છે. પરણીતા પોતાની આંગળીયા પુત્રી જીયાને બીજા લગ્ન કયર્િ બાદ પોતાની સાથે લઈ આવી હતી.
દરમિયાન ગઈકાલે પરિણીતાએ બપોરના સમયે આ પગલું ભરી લીધું હતું. પ્રાથમિક તપાસમાં જિંદગીથ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બે વર્ષની બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું કે અન્ય કંઈ તે જાણવા માટે પોલીસે બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પી.એમ કરાવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ જાણી શકાશે.બીજી તરફ પરિણીતાનો ઇરાદો પોતાની બે વર્ષની બાળકીને મારી નાખવાનો હતો કે કેમ? તે પરિણીતા સ્વસ્થ થયા બાદ તેના નિવેદન પરથી ખ્યાલ આવશે.આ અંગે તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech