હવામાં ભેજની વધ-ઘટને કારણે બપોરે ૧૧ થી ૫ દરમ્યાન ઉનાળા જેવી અસહ્ય ગરમી: ગામડાઓમાં પણ તાવ, શરદીના કેસો વઘ્યા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે-ધીરે શિયાળાની અસર થઇ રહી છે, ત્યારે પણ આજે વ્હેલી સવારે ઠંડક જોવા મળી હતી અને લોકોએ એસી-પંખા બંધ કર્યા હતાં. બપોરના સમયે હજુ પણ ગરમીનો માહોલ જોવા મળ્યો છે, શિયાળો મોડો બેઠો છે, શરદપૂનમ પણ પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે લઘુતમ તાપમાન ધીરે-ધીરે ઘટી રહ્યું છે અને ૨૦.૮ ડીગ્રીએ પહોંચ્યું છે.
આજ સવારથી તાપમાનનો ઘટાડો જોવા મળ્યો છે અને ઠંડક હોવાના કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો છે, ગામડાઓમાં પણ ગઇકાલે સાંજે અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
આજ સવારથી જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા હતાં. હવામાં ભેજ વધતા બપોરના ૧૧ થી ૫ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળ્યો છે. નવરત્રી દરમ્યાન રોગચાળાનું પ્રમાણ પણ ખુબ જ વઘ્યું છે, વાયરલ ઇન્ફેકશન, શરદી, ઉધરસના કેસોમાં જમ્બો જેટની ઝડપે વધારો થયો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૪.૫ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૦.૮ ડીગ્રી, હવામાં ભેજ ૭૩ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
સાંજે થોડો પવન હોવાથી લોકોને રાહત થાય છે, પરંતુ નવરાત્રી બાદ ઠંડી હોવી જોઇએ તેના બદલે હજુ પણ લોકો ગરમીના માહોલમાં જીવી રહ્યા છે, જો કે આ વખતે ઠંડી બહુ નહી પડે તેવી હવામાન ખાતાની આગાહી છે, જો કે આ વખતે ત્રણ અઠવાડીયા ઠંડી મોડી શરુ થાય તેમ હવામાન ખાતુ કહે છે.
મિશ્ર ઋતુને કારણે જી.જી.હોસ્પિટલમાં ૨૦૦થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં ૧૫૦થી વધુ તાવના કેસ નોંધાઇ ગયા છે, બે દિવસમાં ૩૫૦ દર્દીઓમાં વાયરલ ઇન્ફેકશન, ગળામાં દુ:ખવું, તાવ, શરદી, ઉધરસના કેસો જોવા મળ્યા છે ત્યારે હજુ પણ બપોરે અસહ્ય ગરમી પડે છે, શિયાળાની અસર હજુ જોઇએ એટલી થઇ નથી. જી.જી.હોસ્૫િટલમાં દરરોજના ૪૦ જેટલા દર્દીઓને દાખલ કરવા પડે છે, એટલે કે જામનગરમાં દર્દીઓ દિવસેને દિવસે વધતા જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech