ધોરાજીના ભાડેર ગામની સીમમાં ગૌચરની જમીનમાં બાવળ કાપી રહેલા શખસને અટકાવવા જતા પિતા-પુત્રોએ મળી ભાડેર ગામમાં રહેતા યુવાનને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.આટલેથી ન અટકતા આ શખસો લાકડી અને કુહાડી લઇ યુવાનને મારવા દોડયા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનવાની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકાના ભાડેર ગામે રહેતા રધુવિરસિંહ જયવંતસિંહ વાઘેલા(ઉ.વ ૩૯) દ્વારા પાટણવાવ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાડેર ગામે જ રહેતા વજા નારણભાઇ શામળા અને તેના બે પુત્ર વિપુલ તથા અરવિંદના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.૨૮/૧ ના બપોરના સમયે તે ઘરે હતો ત્યારે તેને કોઇ અજાણ્યા વ્યકિતનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે,ભાડેર ગામની સીમમાં આંબલીયાના રસ્તે ગૌચરની જમીનમાં દેશી બાવળનું કટીંગ ચાલી રહ્યું છે.જે બાબતે યુવાને ધોરાજી મામલતદાર કચેરીમાં જાણ કરી હતી.મામલતદાર કચેરીએથી યુવાનને તાલુકા વિકાસ અધિકારી કચેરીએ જાણ કરવા કહ્યું હતું.બાદમાં તલાટી મંત્રી ગામમાં આવ્યા હતાં.યુવાને તેની સાથે અને ત્રણ પંચને સાથે લઇ આ જગ્યાએ તપાસ કરવા માટે પહોંચ્યા હતાં.
અહીં આંબલીયાના માર્ગે ગૌચર જમીનમાં જેસીબી વડે બાવળનું કટીંગ ચાલતું હતું.દરમિયાન ત્રણેય આરોપીઓ હાજર હોય તેણે યુવાનને અહીં શું આવેલ છો? તેમ કહેતા યુવાને કહ્યું હતું કે,અહીં ગેરકાયદે બાવળનું કટીંગ થઇ રહ્યું છે માટે સ્થળ તપાસ માટે આવ્યા છીએ.આ સાંભળી ત્રણેય ગાળો દેવા લાગ્યા હતાં.બાદમાં લાકડી અને કુહાડી લઇ યુવાન પાસે ધસી આવી અહીંથી ચાલ્યા જાવ નહીંતર ટાંટીયા ભાંગી નાખીશું તેવી ધમકી આપી હતી.બાદમાં ત્રણેય મારવા દોડતા યુવાન અહીંથી ભાગી આંબલીયા ગામ તરફ જતો રહ્યો હતો.બાદમાં ગાડીમાં સાથે આવેલા પંચે આંબલીયાથી યુવાનને તેના ગામે લઇ ગયા હતાં.બાદમાં તેણે આ અંગે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૫૦૪,૫૦૬(૧),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech