રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટનાઃ મીડિયાના અનેક સવાલ, રાજકોટ મેયરનું મૌન...ટુ વ્હીલરમાં પકડી ચાલતી

  • May 29, 2024 07:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના મામલે મીડિયા સતત સવાલો પૂછતું રહ્યું અને મેયરે ટુ વ્હીલરમાં ચાલતી પકડી લીધી હતી. મીડિયાના સતત સવાલો વચ્ચે પણ મેયર નયના પેઢડિયાએ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મૌન સેવી લીધુ. 


રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. પચીસથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે આગમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આગની ઘટના પર તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને સૂચના આપી હતી. તેમજ રાજ્ય સરકારે ફાયર એનઓસી ન ધરાવતા તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે ગેમિંગ એક્ટિવિટી માટે બનાવવામાં આવેલા ફાઈબર ડોમમાં આગ લાગી હતી. આ પછી ફાયર કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી મળતાં ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગના કારણે માળખું ધરાશાયી થયું હતું અને કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application