રામાયણના નિર્માતા હવે કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સિરીઝ બનાવશે

  • July 17, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામાયણના નિર્માતા હવે કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સિરીઝ બનાવશે રામાનંદ સાગરના પ્રોડકશન હાઉસની મોટી જાહેરાત
રામાનંદ સાગરના પ્રોડકશન હાઉસે મોટી જાહેરાત કરી છે, રામાયણની સફળતા બાદ હવે આ પ્રોડક્શન હાઉસ ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને સીરિઝ બનાવવાની તૈયારીમાં છે.
રામાનંદ સાગરની રામાયણ આવી તેના 3 દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ સિરીયલનો ઝલવો ચાલુ જ છે. કોરોના મહામારીમાં પણ આ સિરીયલને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. હવે આ સિરીયલની સફળતા ને જોઈ સાગર પિકચર્સ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસે મોટો નિર્ણય લીધો છે. તે ભગવાન કૃષ્ણ પર એક ફિલ્મ અને વેબ સીરિઝ બનવવાનું વિચારી રહ્યા છે. આવું પહેલી વખત નથી કે, જ્યારે આ પ્રોડક્શન હાઉસ ભગવાન કૃષ્ણ પર કોઈ પ્રોજેક્ટ લાવી રહ્યું હોય, કૃષ્ણના ટાઈટલ પહેલા પણ એક ટીવી શો આવી ચૂક્યો છે જે ખુબ હિટ રહ્યો હતો. હવે મેકર્સ ફરી એક વખત કૃષ્ણ પર નવા પ્રોજેક્ટ સાથે આવવાની તૈયારીમાં છે.
જાણવા મળ્યું છે કે રામાયણના ક્રિએટર્સ સાગર પિકચર્સ એન્ટરટેનમેન્ટ, ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સીરિઝ લાવવાની તૈયારીમાં છે. જેમાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 1971 બનાવનારનું સહ-નિર્માણ હશે. આ એક મોટો પ્રોજેક્ટ હશે અને તેમાં સમગ્ર ભારતની સ્ટારકાસ્ટ હશે. ઈન્ટરનેશલ VFX કંપની પણ આમાં સામેલ થશે. આ મેગા પ્રોજેક્ટ વિશે હજુ સુધી વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.
રામાનંદ સાગર ઘરે ઘરે ફેમસ
રામાનંદ સાગરે ભારતને 2 મોટી સીરિયલ આપી છે. તેનો પહેલો શો રામાયણ સુપરહિટ રહ્યો અને કૃષ્ણા સીરિયલને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સીરિલે અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા, દારા સિંહ, સુનીલ લહરી જેવા સ્ટાર ઘરે ઘરે પોપ્યુલર થયા છે. હવે ચાહકો ભગવાન શ્રી કૃષ્ણ પર આધારિત વેબ સીરિઝની રાહ જોઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application