પાયાની દિવાલ ઉભી કરવા પાણીનું લેવલ ઘટ્યા બાદ કોર્પોરેશન પતરા દૂર કરશે
જામનગરના રણમલ તળાવમાં આશરે સાતેક મહિનાથી પાણી વધી જતાં કોઇપણ જાતનો અકસ્માત ન થાય તે માટે કેટલાક સ્થળોએ કોર્પોરેશન દ્વારા પતરા લગાવી દેવામાં આવ્યા હતા, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે આ પતરા ટુંક સમયમાં જ હટાવી લેવામાં આવશે અને પાયાની દિવાલ ઉભી કરવામાં આવશે તેમજ જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત પ્રમાણે તા. 30 જુનના રોજ જામનગરમાં સવારે એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા અને વૃક્ષો પણ પડી ગયા હતા, ત્યારે રણમલ તળાવ પરિસરમાં જામ રણજીતસિંહજીની પ્રતિમા, માછલીઘર સામે, ગેઇટ નં. 4 સામે ડો. આંબેડકર ગાર્ડનમાં બે-ત્રણ સ્થળોએ પતરા લગાવી દેવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં લોકોની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી હતી, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે જ્યાં જ્યાં પાયાની દિવાલ પારી તૂટી ગઇ છે ત્યાં આ દિવાલ ફરીથી કરાશે, એટલે કે પાણીનું લેવલ ઘટી ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech