કાઠિયાવાડી ખેલૈયાઓના ખાંગા તાલએ મારું મન મોહી લીધું: ઐશ્વર્યા મજમુદાર

  • October 13, 2023 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેલેરા તમે આવજો...આજે જાણીતી સિંગર ઐશ્વર્યા મજમુદારના સંગાથે આજે રાસ રસિયાઓ ગરબે ઘુમી નવરાત્રીનું વેલકમ કરશે. આર.આર. ઇવેન્ટ અને આજકાલના સંગાથે સ્ટાર સિંગર ઐશ્વર્યા મજમુદારના સુર પર વિરાણી ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ધૂમ મચાવશે. પાંચ વર્ષ પછી રાજકોટ આવેલી ઐશ્વર્યા મજમુદાર આજે આજકાલની અતિથિ બની હતી. ખાસ મુલાકાતમાં ઐશ્વર્યાએ જણાવ્યું કે, રાજકોટના રંગીલા રાસ રસીયાઓ માટે ખાસ ગરબા તૈયાર કર્યા છે. જેમાં ખેલૈયાઓના પગ થીરકશે. ઐશ્વર્યાના કંઠે ગવાયેલું 'બોલ મારી અંબે' અને 'હાલો બાઇ'ના ગીતને રાજકોટવાસીઓ મારી એક અનમોલ ભેટ રાજકોટવાસીઓ માટે રહેશેે.


આજકાલની મહેમાન બનેલી ઐશ્વર્યાને કાઠિયાવાડના ગરબા ખુબ ગમે છે. ખુબજ સહજતાથી તેણીએ જણાવ્યું કે, આજે રાજકોટમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓને જોવા ખુબજ ગમે છે. સ્ટેજ પરથી હું જયારે પફોર્મન્સ આપતી હોઉ છું ત્યારે યુવતીઓ કલીવાળા ઘેરદાર ચણીયા સાથે જે ગરબાની સ્ટાઇલમાં રમતી હોય છે તે આજ દિવસ સુધી કયાંય પણ નિહાળ્યા નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર્રમાં ખેલૈયાઓ જે ખાંગા રમે છે તે અદભૂત છે. સારેગામા પથી લીટલ સ્ટાર તરીકે શરૂ કરેલી સંગીત ક્ષેત્રની આ સફરમાં અત્યારે સફળતાની ટોચે પહોંચ્યા બાદ પણ સહજતા, શાલીનતાના ગુણો ધરાવતી ઐશ્વર્યા જાણીતી વર્સેટાઇલ સિંગર સાથે ગરબા કિવન તરીકે પણ ઓળખાય છે.


આજકાલ સાથેની મુલાકાતમાં તેણે જણાવ્યું કે, હું કોઇપણ ટ્રેન્ડને ફોલો કરતી નથી. સમયની સાથે જેમ મારામાં ચેન્જ આવે છે તેને હું સ્વીકારું છું. કોઇ બ્રાન્ડનું બંધન મને ગમતું નથી. અત્યાર સુધીમાં મારામાં જે પણ ચેન્જ આવ્યા છે તે નેચરલ છે. હા એ વાત ચોકસસ છે કે હું સંગીતમાં કે જયાંથી મારા અસ્તિત્વની ઓળખ છે તે સંગીત માટે હું દરરોજ નવું નવું શિખવાની કોશીષ કરતી રહું  છું. મારા આર્ટને મારે આસમાનની ઉંચાઇ સુધી લઇ જવાની ખ્વાહીશ છે. મારી આ આદત કયારેય ચેન્જ થશે નહીં.અત્યાર સુધીમાં અનેક ગરબા પર્ફેામન્સના અનુભવ પરથી તે કહે છે કે, ખેલૈયાઓને પ્રાચીન ગરબા સાથે અર્વાચીન ગરબા ગમે છે. આજે તે તેના પ્રચીન ગરબા કે જેને પોતાના સુરમાં તૈયાર કર્યા છે તેના પર ખેલૈયાઓને ઝુમાવશે. રાજકોટના લોર્ડસ સમાન વિરાણી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ સાથે ધૂમ મચાવશે.


આજકાલના આંગણે ગરબા કિવનનું ઉષ્માભયુ સ્વાગત:
આજે આજકાલની મહેમાન બનેલી ઐશ્વર્યા મજમુદારનું ઉષ્માભયુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આજકાલની મુલાકાત વખતે ઐશ્વર્યાએ આજકાલના મોભી શ્રી ધનરાજભાઇ જેઠાણીના આર્શિવાદ લીધા હતાં. આ મુલાકાત સમયે આજકાલના એમ.ડી. ચંદ્રેશ જેઠાણી, મેનેજિંગ એડીટર અનિલ જેઠાણી સાથે ચર્ચા કરી હતી. આ તકે આર.આર. ઇવેન્ટના સૌમિલ અને રાજ રાજાણી, કેમ્પેઈન એડના ધર્મેશ શાહ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application