ગાંધીગ્રામમાં ગાંધીનગર શેરી નં.૩ માં રહેતી કવીતાબેન (ઉ.વ ૩૦) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મંથન મનસુખ ગોહેલ, સસરા મનસુખભાઇ ગોહેલ, સાસુ શકુંતલાબેન (રહે. ત્રણેય ગોપાલકુંજ, ગાંધીગ્રામ શેરી નં.૩) અને જેઠ કેતન ગોહેલ (રહે. પુષ્કરધામ, કાલાવડ રોડ) ના નામ આપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીને નવ વર્ષ પહેલા મંથન સાથે પ્રેમસંબધં હોય બાદમાં બન્નેએ કોર્ટમેરેજ કર્યા હતાં. બાદમાં બન્નેના પરીવારજનોની સહમતીથી ગાયત્રી મંદીરમાં લ કરેલ હતા. લ જીવન દરમ્યાન સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે, જે હાલ તેણીની સાથે રહે છે. તેણી સંયુકત પરીવારમાં રહેતી અને તેના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લ બાદ શઆતમાં ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ તેમના પતિ કહેતા કે, તું કરીયાવરમાં કાઇ લાવેલ નથી, તું કરીયાવર લઈ તુ નહી કરીયાવર નહીં લઇ આવ તો હત્પ તને તારા પીતાના ધરે મોકલી દઇશ તેમ ધમકી આપતા અને મારકુટ પણ કરતા હતાં. તેમજ તેણીના માતાપિતાને ગાળો પણ આપતાં હતાં. તેણીનો પતિ અવાર નવાર શંકાઓ કરતો અને ધરમાં જીવન જરીયાતની વસ્તુઓ પણ લઈ આપતો ન હતો. દીકરાનો જન્મ થયેલ બાદ તેણીના દીકરાની કોઈ સાર સંભાળ રાખતા નહી. તેણી બીમાર હોય ત્યારે પણ હોસ્પીટલ લઈ જતા નહીં અને સાર સંભાળ લેતા નહી, જેથી કંટાળી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે
શ્રી રેસીડન્સીમાં રહેતા સાસરિયા પુત્રવધૂનું ક્રીધન ઓળવી ગયા
હાલ અંબિકા ટાઉનશીપ પાસે સ્પીડવેલ હાઇટસમાં રહેતી પરિણીતા જયોતિબેન(ઉ.વ ૪૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ પર આલાપ હેરીટેઝ પાસે શ્રી રેસીડન્સી ફલેટ નં.૮૦૨ માં રહેતા પતિ રવિભાઇ કાંતીભાઇ રાછડીયા,સસરા કાંતીભાઇ અને સાસુ જોશનાબેનના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું છે કે,પતિ સહિતના સાસરીયા નાની નાની વાતમાં ઝઘડા કરી ત્રાસ આપતા હોય તેણી માવતરના ઘરે આવી ગઇ હતી.બાદમાં તેઓ તેણીનું ક્રીધન પણ ઓળવી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech