શહેરના ખેડુતવાસની શ્રમજીવી સોસાયટીમાં રહેતા યુવાને હાથ ઉછીના આવેલા રૂપિયાની માંગણી કર્યાની દાઝ રાખી પંદર દિવસ પૂર્વે પિતા અને પુત્ર પર પાંચ શખસે હુમલો કરી આડેધડ છરી અને પાઈપના ઘા ઝીંકી ઈજા પહોંચાડતા બન્નેને ગંભીર હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયા સારવાર દરમિયાન આધેડે હોસ્પિટલ બિછાને આધેડે અંતિમ શ્વાસ લેતા મારામારીનો બનાવ હત્યામાં તબદીલ હતો.
શહેરના ખેડુતવાસ વિસ્તારમાં આવેલી શ્રાજીલી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ધરમશીભાઈ ડાભીએ ઘોઘારોડ પોલીસ મથકમાં મુકેશ ચૌહાણ સોડાવાળા, રાકેશ ઉર્ફે કોકો, પીયુષ ઉર્ફે પીલો, મધરો, ભાર્ગવ રાઠોડ (રે. તમામ. ખેડુતવાસ, ભાવનગર) સામે જે તે સમયે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓએ રાકેશ ઉર્ફે કોકોને હાથ ઉછીના રૂપિયા ૪૦ હજાર આપ્યા હતા તે પેસા આપતો ન હોય જેથી તેઓએ પૈસા આપવાનું કહી માંગણી કરતા ગત તા. ૧૪ના રોજ તમામ શખસોએ તેની સાથે ઝધડો કરી તેને અપશબ્દો કહી મુકેશ અને રાકેશે પકડી રાખી પીયુષે પાઈપના થા ફટકારી ભાર્ગવ અને મઘરાએ તેને તેમજ તેના પિતાને આડેધડ પાઈપ અને છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવના પગલે ઘોઘારોડ પોલીસે પાંચેય શખસ સામે બીએનએસ એક્ટ ૧૧૫ (૨), ૧૧(૨), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧ (૩), ૫૪, તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડુતવાસમાં પિતા પુત્ર ઉપર હુમલાના મામલે ભારે ચકચાર મચી જવા પામી હતી. અને બન્નેને તાત્કાલીક સારવાર અર્થે પ્રથમ ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ત્યાથી વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન હોસ્પિટલ બિછાને પિતા ધરમશીભાઈ ડાભીનુ મોત નિપજતા બનાવ હત્યામાં તબદીલ થયો હતો.
આ અંગે ઘોઘારોડ પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનુ તેમજ બનાવ અનુસંધાને ગુનો નોંધાયા બાદ તમામ આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા હોવાનું ઘોઘારોડ પોલીસે જણાવ્યુ હતું.
ભાવનગરમાં છેલ્લા થોડા સમયથી કથળતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વચ્ચે માત્ર પાંચ દિવસમાં દંપતિની બેવડી હત્યા સાથે ત્રણ હત્યાના બનાવોમાં ચાર વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હજુ પાંચ દિવસ પુર્વે શહેર ફરતી સડક ઉપર મહિલા એએસઆઈ રેખાબેન વાઘોશીના પુત્ર કેવલભાઈ દિલીપભાઈ વાઘોશીની અગાઉ થયેલી હત્યાની અદાવતે ભાઈની હત્યાનો બદલો લેવા ત્રણ શખ્સોએ હત્યા કરી નાખી હતી. જે હત્યાની શાહી સુકાઈ ન હતી ત્યા સિહોર તાલુકાના નેસડા ગામે વાડી વિસ્તારમાં ઇંટોના ભટ્ટે મજુરી અર્થે સ્થાઈ થયેલા નવસારીના દંપતી રામુભાઈ નટુભાઈ હળપતિ અને તેના પત્ની લક્ષ્મીબેનને ગત તા. ૩૦ના રોજ કુહાડીના ઘા ઝીંકી શખ્સે હત્યા કરી નાખી હતી.
ત્યા ૧૫ દિવસ પુર્વે ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા પાંચ શખ્સોએ પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન હોસ્પિટલ બિછાને પિતાએ અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં તબદીલ હતો. આમ માત્ર પાંચ દિવસમાં ચાર વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાકીની ના કહેનારની હત્યાના ગુનાના એક આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર
June 05, 2025 02:44 PMબોગસ ખાતા ખોલાવી લાખોનો સાયબર ક્રાઇમના બે આરોપીની જામીનઅરજી રદ
June 05, 2025 02:43 PMમાઈગ્રેન બીમારીનો હોસ્પિટલનો તમામ ખર્ચ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ
June 05, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech