અયોધ્યામાં શ્રી રામના અભિષેકની તૈયારીઓ તેના આખરી ચરણમાં છે ત્યારે કર્ણાટકમાં અણ યોગીરાજે અયોધ્યામાં રામ મંદિર માટે જે પથ્થર માંથી રામલલ્લાની મૂર્તિ બનાવી હતી તેમાંથી જ હનુમાનજીની મૂર્તિ બનાવવાનું નક્કી કયુ છે.
રામની મૂર્તિ મૈસુર નજીક હરોહલ્લીના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મૂર્તિ માટે લઈ જવાયા બાદ બાકી રહેલા પથ્થરનો ભાગ એક–બે દિવસમાં કોપ્પલ પહોંચશે.૨૨જાન્યુઆરીએ રામ મંદિરના ઉધ્ઘાટનના દિવસે પ્રકાશ હનુમાનની મૂર્તિ કોતરવાનું કામ શ કરશે.
પ્રકાશ ગત વર્ષે વિજયદાસની પ્રતિમા કોતરવા માટે પથ્થર પસદં કરવા હરોહલ્લી ગયા હતા. મહત્વનું છે કે પ્રકાશ પણ તેના પિતા શેખરપ્પાની જેમ હનુમાનજીના પરમ ભકત છે તે ૨૦૦૭થી દરરોજ હનુમાનજીની એક થી દોઢ ફટ ઐંચી પથ્થરની મૂર્તિ કોતરીને તેની પૂજા કર્યા બાદ બાકીનું કામ કરે છે.પ્રકાશે અત્યાર સુધીમાં ૬,૧૪૧ હનુમાનની મૂર્તિઓની બનાવી છે. હરોહલ્લીના ખેતરોમાં કામ કરતા શ્રીનિવાસે જણાવ્યું કે અહીના ખેતરોના પથ્થરોમાંથી રામની મૂર્તિ બનાવવામાં આવી . પ્રકાશ ગત વર્ષે વિજયદાસની મૂર્તિ બનાવવા માટે પથ્થર પસદં કરવા હરોહલ્લી આવ્યા હતા જે પથ્થરને તેણે જોયો તે સારી ગુણવત્તાનો હતો પરંતુ તેને એ આકારનો પથ્થર ન મળ્યો જેવો તેમને જોઈતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech