ભારતના અગ્રણી બિઝનેસ હાઉસમાં નવી પેઢીએ હવે બિઝનેસ સંભાળવાનું શરૂ કયુ છે. તેમને દેશની ટોચની લિસ્ટેડ કંપનીઓમાં ચેરમેન, ડિરેકટર, બોર્ડ મેમ્બર, વીપી, જનરલ મેનેજર જેવી જવાબદારીઓ આપવામાં આવી છે. ભારતના આ ૧૦ ઔધોગિક ગૃહોના વારસદારોને આગામી થોડા વર્ષેામાં ૩૮૨ બિલિયન ડોલરની સંપત્તિ વારસામાં મળશે.
જેમાં અંબાણી, અદાણી, દામાણી, બિરલા અને મિક્રી અને મિત્તલ જેવા પરિવારોનો સમાવેશ થાય છે. હાલમાં દરેક વ્યકિતની ઉંમર ૪૦ વર્ષથી ઓછી છે. એક–બેને બાદ કરતાં આ નવી પેઢીના સાહસિકોએ અમેરિકામાંથી શિક્ષણ લીધું છે. લંડન આ પેઢી માટે શિક્ષણનું બીજું સૌથી પસંદગીનું કેન્દ્ર રહ્યું છે. કેટલાક યુવાનોએ શિક્ષણ માટે ફ્રાન્સ પણ પસદં કયુ છે, યારે બિરલા ગ્રુપના વારસદાર આર્યમને મુંબઈથી જ શિક્ષણ લીધું છે. આર્યમન એક પ્રોફેશનલ ક્રિકેટર પણ છે અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂકયો છે. નોંધનીય છે કે નવી પેઢીના આ સભ્યોમાં મહિલાઓ પણ બિઝનેસ સંભાળવામાં પાછળ નથી. ભારતમાં કોર્પેારેટ ગવર્નન્સનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી કારણકે ભારતમાં, યાં કંપનીના સ્થાપકો હજુ પણ સામાન્ય રીતે ૫૦% કે તેથી વધુ ઓપરેટિંગ હિસ્સાની માલિકી ધરાવે છે, સાર્વજનિક પે સૂચિબદ્ધ કંપનીનું નિયંત્રણ પોતાના બાળકોને આપવુંએ એક કુદરતી પ્રગતિ તરીકે જોવામાં આવે છે. યારે અન્ય કેટલાક પશ્ચિમી દેશોમાં તેને કોર્પેારેટ ગવર્નન્સનું ઉલ્લંઘન માનવામાં આવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech