નાયબ સચિવ કક્ષાના નવ અને ત્રણ મામલતદારોને સરકારે કરી બદલી

  • April 25, 2025 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા પોલ એમ. ખ્રિસ્તીની સરકારે બદલી કરી છે અને તેને ચૂંટણી શાખામાં જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના મામલતદાર કુમારી માધવી પટેલ અને મહેસાણાના કડી ખાતે મામલતદાર ની જવાબદારી સંભાળતા વિરમભાઈ પટેલની પણ બદલી કરવામાં આવી છે.

ત્રણ મામલતદારો ઉપરાંત સચિવાલય ખાતે નાયબ સચિવ વર્ગ એકમાં ફરજ બજાવતા નવ અધિકારીઓને પણ બદલી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના હિતેશ ગોહિલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આર એ પ્રજાપતિ સામાન્ય વહીવટ વિભાગના ડી કે ભાવસાર આરોગ્ય વિભાગના વીએમ પટેલ પંચાયત વિભાગના એસ જે પરમાર માર્ગ મકાન વિભાગના ડીપી વસૈયા સામાન્ય વહીવટ વિભાગના એમડી મુદલિયાર આર વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના ઉર્વશી સુતરીયા વન પર્યાવરણ વિભાગના જે ડી સુથાર અને સામાન્ય વહીવટ વિભાગના શ્રીમતી આઈ પી પટેલની બદલીઓ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application