શહેરના નાના મવા રોડ પર રાજનગર ચોકમાં આવેલી માં શારદા હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ન હોવા છતાં જોખમી ઓપરેશન કર્યા બાદ બાળકીની તબિયત લથડતા સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવી હતી અને બાદમાં મૃત્યુ થયાનું પરિવારને જણાવતા પરિવારે માં શારદા હોસ્પિટલના તબીબ સામે બેદરકારીનો આક્ષેપ કરી હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ હતી. અને ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
રવાસી ખીજડીયા ગામે રહેતા જનકસિંહ જાડેજાની 11 મહિનાની દીકરી મીતાંશીને બે ત્રણ દિવસથી તાવની અસર હોવાથી મંગળવારે રાજનગર ચોક નજીક આવેલી માં શારદા હોસ્પિટલમાં પરિવારની મહિલાઓ લઈ ગયા હતા. તપાસ બાદ ડોક્ટર જીતેન્દ્ર ગાંધીએ બાળકીને ગળામાં ગાંઠ હોવાથી ઇન્ફેક્શન થયું છે અને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. આથી બાળકીની માતા સહિતનાએ જનકસિંહને જાણ કરતા તે હોસ્પિટલએ દોડી આવ્યા હતા અને ડોક્ટર જીતેન્દ્ર ગાંધીએ ઓપરેશન અને તેના ખર્ચ માટેનું સમજાવતા પરિવારે ઓપરેશન કરવાની સંમતિ આપી રૂ.42 હજાર ભરી દીધા હતા. ગઈકાલે સાંજે ઓપરેશન માટેનું નક્કી થતા પરિવાર બાળકીને લઇ હોસ્પિટલએ પહોંચ્યો હતો અને જરૂરી પ્રોસેસ પુરી કરી બાળકીને ઓટીમાં લઇ જવાઈ હતી. લાંબો સમય સુધી ઓટી માંથી બહાર ન આવતા પરિવારે તબીબે પૂછતાં કહ્યું હતું કે, ઓપરેશન દરમિયાન બાળકીને હૃદયમાં વધુ ઇન્ફેક્શન ફેલાયેલું જોવા મળતા અને તબિયત વધુ બગડતા તેને બીજી સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. અને રાત્રે દશેક વાગ્યાના અરસામાં દીકરીનું મૃત્યુ થયાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. દીકરીને બીજી હોસ્પિટલમાં લઈ ગયા તેની પણ અમને જાણ કરવામાં આવી નહતી સહિતના બાબતે તબીબી બેદરકારીના મૃતકના પિતા જનકસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. બનાવના પગલે હોસ્પિટલએ ટોળા એકઠા થયા હતા. સ્થિતિ વણસે પહેલા માલવીયાનગર પોલીસ ખાનગી હોસ્પિટલ ખાતે અને પીએમ રૂમએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકીનું મોત તબીબી બેદરકારીથી થયું હોવાના આક્ષેપના પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ હકીકત સામે આવી શકે છે. માલવીયાનગર પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application45 વર્ષ બાદ મંદ પડી નર્કના દરવાજાની આગ : વૈજ્ઞાનિકોની ભૂલને કારણે શરૂ થઈ હતી જ્વાળા
June 07, 2025 10:18 AMPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech