પંજાબ-હરિયાણા સ્થિત ખનૌરી બોર્ડર પર એક ખેડૂતનું ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું છે. પટિયાલાની સરકારી હોસ્પિટલે પણ શુભકરણસિંહ નામના યુવકના મૃત્યુની પુષ્ટિ કરી છે. જ્યારે હરિયાણા પોલીસે આ મૃત્યુની વાતને અફવા ગણાવી છે. હરિયાણા પોલીસ જે ગોળીઓ પાકિસ્તાનના સૈન્ય પર ચલાવવી જોઈએ તે ખેડૂતો પર ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર બેવડી બાજી રમી રહી છે. એક તરફ તે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા વાતચીતના પ્રસ્તાવો મોકલે છે અને પોતે શાંતિની તરફેણમાં હોવાની વાતો કરે છે ને બીજી બાજુ હરિયાણા સરકારને કડક બનવા નિર્દેશ આપે છે. બુધવારે બપોરે ખેડૂતોએ જેવો આગેકુચ કરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ એટલા બધા ટીયરગેસ સેલ છોડવામાં આવ્યા કે ત્યાં ગેસનું ગઢ ડુમ્મસ છાવાઓ ગયું અને કશું જ જોઈ ન શકાય એવી સ્થિતિ થઇ. ખેડૂતો પર રબ્બરની ગોળીઓ છોડવામાં આવી એવું હરિયાણા પોલીસ કહે છે પણ રબ્બરની ગોળી ખોરી ફાડીને માથામાં ઘુસી જઈ શકે નહીં અને જો રબ્બરની ગોળી ખોપરી ફાડી નાખતી હોય તો તે અને સમાન્ય ગોળીમાં કોઈ અંતર રહ્યું કહેવાય નહીં. આ મોતથી મામલો રાજકીય બનવાની શક્યતા વધી જાય છે. અકાલી દળે એની શરૂઆત કરી દીધી છે. કેન્દ્રના સંકેત હેઠળ અકાલી દળે આ મોત માટે હરિયાણા પોલીસને બદલે પંજાબ સરકારને જવાબદાર ઠરાવવા પ્રયાસ કર્યો છે. તેનું કહેવું છે કે પંજાબ સરકારે ખેડૂતોને હરિયાણા તરફ જવા જ ન દીધા હોત તો આ મોત થયું હોત નહીં. દલીલ વાહિયાત છે પણ રાજકારણમાં હવે માણસો અને દલીલો બંને વાહિયાત જ રહ્યા છે.
ખેડૂત નેતા પંઢેરે કહ્યું હતું કે, તમે અમારા સીધા સાદા છોકરાઓને મારી નાખો ત્યારે શાંતિ ક્યાંથી રહેશે? અર્જુન મુંડાને જે કહેવામાં આવ્યું તે તેમણે કર્યું નથી. અમે ક્યારેય વાત કરવાની ના પાડતા નથી. સરકારે તે માટે વાતાવરણ બનાવવું જોઈએ. જ્યારે અમારા લોકો શહીદ થઈ રહ્યા છે તો વાતચીત ઉકેલ નથી. ખેડૂત નેતા દલ્લેવાલે કહ્યું, કે એક જાનહાનિ થઈ છે. કોઈ માતાનો એક પુત્ર આજે ગયો છે. અમારી જવાબદારી બને છે. અમે તેના અંતિમ સંસ્કાર કરીશું, તેનું પોસ્ટમોર્ટમ કરાવીશું. તેના પરિવારને સહાનુભૂતિ મળી રહે તે માટે અમારાથી બનતું બધું જ કરીશું.પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા સુખજિંદરસિંહ રંધાવાએ કહ્યું છે કે ખેડૂતો પર એ રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે જે રીતે પાકિસ્તાનની સરહદ પર થાય છે.પહેલાં ભારત-પાકિસ્તાન સરહદ પર લેન્ડમાઇન નાખવામાં આવતી હતી. જો હરિયાણા પોલીસનું ચાલે તો તેઓ એ પણ કરી શકે તેમ છે. આવી સ્થિતિમાં પંજાબ સરકારે ખેડૂતોના પક્ષમાં સ્ટેન્ડ લેવું જોઈએ અને હરિયાણા સરકારને જવાબ આપવો જોઈએ. આ આંદોલન એકલા પંજાબનું નથી, પરંતુ સમગ્ર દેશના ખેડૂતોનું છે. પંજાબના ખેડૂતો તેનું નેતૃત્વ કરી રહ્યા છે. સમગ્ર દેશના ખેડૂતો વતી તેઓ આંદોલન કરી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે હરિયાણા પોલીસ જે રીતે ખેડૂતો સામે ગોળીઓ અને ટિયરગેસ સેલનો ઉપયોગ કરી રહી છે તેનાથી સમગ્ર દેશ વ્યથિત છે. તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. પરંતુ એકમાત્ર ઉકેલ વાતચીત છે. આ બધા નેતાઓ થુંક ઉડાડશે પણ જેનો કંધોતર શહીદ થઇ ગયો છે એ પરિવારની વ્યથા કોઈને નહીં સમજાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજંત્રીના નવા દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી અમલમાં મુકાવાની શકયતા નહિવત
April 01, 2025 11:10 AMજામનગરશહેરમાં સિંધી સમાજ ચેટીચાંદની ભવ્ય ઉજવણી...
April 01, 2025 11:08 AMટ્રમ્પએ ત્રીજું નેત્ર ખોલતા જ પુતિન ઝુક્યા, કહ્યું યુએસ સાથે સંબંધ જાળવીશું
April 01, 2025 10:59 AMકલ્યાણપુર તાલુકાના વિદ્યાર્થીઓની અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્સપોઝર વિઝીટ
April 01, 2025 10:57 AMજસ્ટિસ ફોર રાજકુમાર: જયપુરમાં આક્રોશ સભા
April 01, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech