જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકોને રાજકોટના ૧ અને અમદાવાદના ૨ દંપતીને સોંપાયા
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના ત્રણ બાળકોને રાજકોટના એક અને અમદાવાદના બે દંપતિ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. કલેકટર કચેરી ખાતે કલેકટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતિમાં બાળકોને તેના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. તેમજ બાળકની તમામ જરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.સાથે માતાપિતા બનવા બદલ ત્રણે દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્રણે બાળકોના દત્તક માતાપિતા અને તેમની સાથે આવેલા પરિવારજનોએ કલેકટરશ્રી, બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકને દત્તક લીધા બાદની પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક ક્લેક્ટર બી.એન.ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી તથા સભ્યો તેમજ કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech