ચિત્રા સીએમસી ખાતે તબીબની બેદરકારીથી પ્રસુતાંનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

  • February 27, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના ચિત્રા જીઆઇડીસી ખાતે આવેલી ચિત્રા સીએમસી ખાતે આજે વહેલી સવારે મહેશભાઈ લવજીભાઈ ગોહિલ તેના પત્નીને ડિલિવરી માટે લઈને પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. અને મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે ત્યાર બાદ મહેશભાઈને હોસ્પિટલ તંત્ર દ્વારા તેઓના પત્નીની હાલત વધુ ખરાબ હોવાનું જણાવી અને સરકારી હોસ્પિટલ ખસેડવા કહ્યું હતું. જ્યાંથી પરિવારજનો મહિલાને સર ટી હોસ્પિટલ ખાતે લઈને આવતા તેણીનું મૃત્યુ થવા પામ્યું હતું. બનાવ મામલે પરિવારજનો અને સમાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને મહિલાના પતિ મહેશભાઈએ ચિત્રા સીએમસીના તબીબ પર આક્ષેપ લગાવ્યા હતા. અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સીએમસીના ડોક્ટર્સની બેદરકારીથી તેના પત્નીનું મોત નીપજ્યું છે. જે અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધા કરાવી પોલીસ ફરિયાદ કરવા સહીતની કાર્યવાહી કરશે તેમ માહિતી આપતા જણાવ્યું હતું. જોકે સમગ્ર મામલે પરણિતાના પીએમ બાદ સાચી હકીકત સામે આવશે. હાલ પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application