બેંગલુરૂમાં ભાગદોડમાં 11 લોકોના મોતથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમ 10 મિનિટમાં સમેટાયો, કોહલીએ કહ્યું- મારી પાસે વધુ સમય નથી, પ્લીઝ મને બોલવા દો

  • June 04, 2025 07:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલમાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષમાં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. પહેલું IPL ટાઇટલ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે બેંગ્લોરુમાં આયોજિત એક ખાસ સન્માન સમારોહમાં હાજરી આપી હતી. બુધવારે બપોરે જ્યારે IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અહીં પહોંચી ત્યારે એરપોર્ટની બહાર રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ઉભેલા ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ખેલાડીઓ સ્ટેડિયમ પહોંચે તે પહેલાં જ થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા અને તેના કારણે કાર્યક્રમ માત્ર 10 મીનીટમાં સમાપ્ત થઈ ગયો.


કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ બાદ RCBનો ઉજવણી કાર્યક્રમ ટૂંકો કરવામાં આવ્યો હતો.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓએ IPL ટ્રોફી સાથે મેદાનમાં ચક્કર લગાવ્યું ત્યારબાદ તેઓ મેદાનની અંદર ગયા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર ટ્રોફી સાથે સ્ટેડિયમની અંદર પહોંચ્યા અને તેમણે ચાહકોને 'આઈ લવ યુ' કહ્યું. થોડી વાર બોલ્યા પછી, પાટીદારે વિરાટ કોહલી સાથે ટ્રોફી ઉંચી કરી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ચાહકોના અવાજને કારણે બોલી શક્યા નહીં. એન્કર અને કોહલીની વિનંતી પછી, ચાહકોનો ઉત્સાહ ઓછો થઈ ગયો. કોહલીએ કહ્યું, "મારી પાસે વધુ સમય નથી, તેથી કૃપા કરીને મને બોલવા દો. હું ગઈકાલે રાત્રે પાટીદારે જે કહ્યું હતું તે પુનરાવર્તન કરીને મારી વાત શરૂ કરવા માંગુ છું. હવે આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ કપ છે. અમે આ ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ દરેક મુશ્કેલ સમયમાં અમારો સાથ આપનારા બધા માટે કર્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application