તાણ-આંચકી ઉપડતાં પાણીમાં પડી જવાથી બનેલો બનાવ
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતી એક પરણીતા બે દિવસ પહેલા નદીએ કપડાં ધોવા ગઈ હતી. જયાં તાણ આંચકીના કારણે પાણીમાં પડી જતા મૃત્યુ નિપજયુ હતું.
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતી રૂડીબેન જેઠાભાઈ ધ્રાંગીયા નામની ૩૩ વર્ષની યુવતી જુની વાય તેમજ તાણ આંચકીની બીમારીથી પીડાતી હતી. દરમિયાન તા. ૧૩ના રોજ કપડાં ધોવા માટે મુરીલા ગામની નદીએ ગઈ હતી, જ્યાં તેણીને અચાનક તાણ આંચકી ઉપડતાં અકસ્માતે નદીના પાણીમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ જેઠાભાઈ પાંચાભાઇ ધ્રાંગીયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 16, 2025 12:07 PM'કલ હો ના હો' ના દ્રશ્યમાં પ્રીતિ ઝિન્ટા સાચે જ રડી હતી
May 16, 2025 12:05 PMડાઉન સિન્ડ્રોમથી પીડિત ગોપી કૃષ્ણન આમીરની ફિલ્મથી ડેબ્યુ કરશે
May 16, 2025 12:03 PMજામનગર: લાલપુરના નાદુરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેલાયો ખુની ખેલ
May 16, 2025 12:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech