કેસમાં સમાધાન નહી કરે તો મારી નાખવાની ધમકી દીધી : સોશ્યલ મિડીયા પર બદનામ કરવા વાણી વિલાસ
જામનગરમાં રહેતી યુવતિએ ધ્રોલના એડવોકેટ સામે પોતાનો જુનો કેસ પાછો ખેચવાના મામલે ધાક ધમકી આપી સોશ્યલ મિડીયામાં તેણીને બદનામ કરવાના ઇરાદે અભદ્ર શબ્દો બોલ્યા હોવાની સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે, જે તે વખતે પણ મામલો ચચર્મિાં આવ્યો હતો, ફરી એકવાર જુનુ પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું છે, ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના દિ.પ્લોટ 60ના છેડે રહેતી 35 વર્ષની એક યુવતિએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ધ્રોલના ચંદનવાસમાં રહેતા હેમત ઘેલા ચાવડાની વિરુઘ્ધ બીએનએચ 352, 351(3), 356(2) મુજબ ફરીયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યુ છે કે ફરીયાદી યુવતિએ આરોપી હેમત વિરુઘ્ધ અગાઉ પોલીસ ફરીયાદ કરેલ હતી, જે કેસમાં સમાધાન કરવા માટે આરોપી ફરીયાદીને ફોન કરી ગાળો આપી જો સમાધાન નહી કરે તો જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
તેમજ સોશ્યલ મિડીયા યુ-ટયુબ પર ફરીયાદીને બદનામ કરવાના ઇરાદાથી ફરીયાદી વિશે અભદ્ર શબ્દો બોલી બદનામ કરી ગુનો કર્યો હતો, આથી યુવતિ દ્વારા મામલો સીટી-એ ડીવીઝનમાં લઇ જવામાં આવ્યો હતો.
આશરે એકાદ વર્ષ પહેલા પણ યુવતિ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે હેમત ચાવડા નામના એડવોકેટ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી હતી, જે તે વખતે ફરીયાદના આધારે પોલીસે કાર્યવાહી આગળ વધારી હતી, દરમ્યાન યુવતિ અને એડવોકેટનું તકરાર પ્રકરણ ફરી એકવાર પોલીસ મથકે પહોચતા ચચર્િ જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech