પોરબંદર સહિત સૌરાષ્ટ્રના આઠ બંદરોના વિકાસથી રાજ્યનો થશે વિકાસ

  • March 19, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર સહિત રાજ્યના આઠ બંદરના વિકાસથી સમગ્ર ગુજરાતનો વિકાસ ઝડપી બનશે તેવો પોરબંદરના ધારાસભ્ય આશાવાદ દર્શાવ્યો છે.
ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડની મદદથી રાજ્યના ૪૮ નાના અને મધ્યમકક્ષાના બંદરોનો ખુબ સારી રીતે વિકાસ કરેલ છે, જેના કારણે આજે દેશમાં જે નાના અને મધ્યમકક્ષાના બંદરોએથી જે કુલ આયાત-નિકાસ થાય છે તેમાંથી ૬૭% ગુજરાતના બંદરોએથી થાય છે, જેના કારણે ગુજરાતના જે નાના અને મધ્યમ કક્ષાના બંદરો છે,તેની અર્થવ્યવસ્થા ધમધમતી રહી છે. આ ઉપરાંત ગુજરાતના પોર્ટ દેશના કુલ કાર્ગો પરિવહનમાં ૩૭% જેટલો હિસ્સો ધરાવે છે. એટલે કે દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હિસ્સો અન્ય તમામ રાજ્યો કરતા ઘણો વધારે છે. સાથે જ ગુજરાતના  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત મેરીટાઇમ વિઝન-૨૦૪૭ તૈયાર કરેલ છે, જે અંતર્ગત રાજ્યમાં એક આંતરાષ્ટ્રીય કક્ષાનું મેરીટાઇમ સિટી બનાવવાનું આયોજન કરાયેલ છે, જે સિટી વૈશ્ર્વિક સ્તર ઉપર સ્પર્ઘા કરી શકે તે કક્ષાનું બનાવવામાં આવશે.જે માટે આ વખતના બજેટમાં ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.ઉપરાંત રાજ્યમાં મધ્યમકક્ષાના જે આઠ બંદરો છે તેનો વિસ્તાર કરવા માટે આ વખતના બજેટમાં ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ માટેનો અભ્યાસ અહેવાલ આવી જાય તે એટલે પોરબંદર, ભાવનગર, ઓખા સહિતના આઠ બંદરોનો વિકાસ થઈ શકશે.આ ઉપરાંત રાજ્યમાં જે બંદરોનું સંચાલન સરકારી ધોરણે થાય છે તેનું સંચાલન કરવા એક કંપની બનાવી વેપારી ધોરણે સંચાલન થાય તે માટેની જોગવાઈ બજેટમાં કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application