રશિયાએ વિશ્વમાં વધતા સંઘર્ષ સામે ચેતવણી આપી છે તો સામે પક્ષે યુક્રેને આ સંઘર્ષ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા. રશિયાએ પરમાણુ યુદ્ધના વધતા જોખમો વિશે પણ ચેતવણી આપી હતી. એક વરિ રશિયન નેતાનું કહેવું છે કે વિશ્વમાં પ્રભુત્વ સ્થાપિત કરવાની ઇચ્છા યુદ્ધ જેવી પરિસ્થિતિઓને જન્મ આપી રહી છે. આ પાછળ એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આનું પરિણામ છે.
રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ વર્શિનિને ચેતવણી આપી હતી કે વિશ્વભરમાં વધતા તણાવ અને સંઘર્ષેાને કારણે, પરમાણુ શકિતઓની સેનાઓ એકબીજા સાથે અથડામણ કરી રહી છે અને આ મુદ્દો વધી રહ્યો છે. તેમણે ભાર મૂકયો કે સ્થિરતા પ્રા કરવા માટે તમામ રાયો અને લોકોના કાયદેસર હિતોનો વિચાર કરવો જોઈએ . તેમણે કહ્યું, 'પરિસ્થિતિ ખતરનાક ગતિએ બગડી રહી છે અને પરમાણુ શકિતઓ વચ્ચે સીધા લશ્કરી સંઘર્ષનો ભય ખૂબ જ વધારે છે.' લગભગ દરેક જગ્યાએ તણાવ અને સંઘર્ષ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક દેશોની મહત્વાકાંક્ષાઓ અન્ય દેશોની આકાંક્ષાઓ સાથે ટકરાય છે. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ પર રાજ કરવા માંગતા દેશો સુરક્ષાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech