ઈશ્વરીયા પાર્કના તળાવમાં રહેલું પાણી ખાલી કરવા કલેકટર તંત્રનો નિર્ણય

  • May 23, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલા તળાવમાં અત્યારે જે પાણી છે તે ખાલી કરી ત્યાં તળાવમાં ગાંડીવેલ છે તે દૂર કરવા કલેકટર તંત્રએ નિર્ણય લીધો છે. આ બાબતે પ્રાંત અધિકારી ચાંદની પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અમે મહાનગરપાલિકા સાથે વાતચીત કરી રહ્યા છીએ અને યારે ગાંડીવેલ કાઢવાનું શ કરાશે તે પહેલા તળાવમાં રહેલું પાણી ઉલેચીને બહાર કઢાશે.
ઈશ્વર્યા તળાવમાં મુલાકાતીઓની સંખ્યા વધારવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ આ સંદર્ભે બેઠક બોલાવી હતી અને તળાવનું બ્યુટીફિકેશન વધારવા, તળાવ આડી ઐંચી દીવાલ છે તેની હાઈટ ઘટાડી ત્યાં લોકો પાળી પર બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતમાં વિચાર ચાલે છે. આ ઉપરાંત કેકટસ પાર્ક પણ બનાવવામાં આવશે. રસ્તાની હાલતમાં સુધારો કરી પેવર બ્લોક નાખવામાં આવશે.
ઈશ્વરીયા પાર્ક માટે વધુ શું થઈ શકે તે સંદર્ભે વિકાસના સૂચનો લોકોમાંથી અને જાણકારોમાંથી મેળવાય રહ્યા છે. આર્કિટેકની પેનલની પણ આ બાબતે નિમણૂક કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application