પોરબંદરની મોટી હવેલી દ્વારા દુકાન ખાલી કરાવવાનો થયેલો દાવો કોર્ટે રદ કર્યો હતો. પોરબંદર ખાતે માણેકચોકમાં આવેલ ‘મોટી હવેલી’ના નામથી ઓળખાતી સંસ્થા, સમિતિ કે જેને નાથદ્વારા ટેમ્પલ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેના દ્વારા પોરબંદરની માણેકચોક પાસે મોટી હવેલીની સામે આવેલ શેઠવાળા ડેલા તરીકે ઓળખાતી દુકાન એક વયોવૃધ્ધ વડીલ વ્યક્તિ પાસેથી લેવા માટે પોરબંદરની અધિક સિનિયર સિવિલ જજની કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો અને બહોળો વહીવટ અને આર્થિક સધ્ધરતા ધરાવતી આ સંસ્થાએ ઉંમરલાયક અને પેરેલીસીસના દર્દી પાસેથી દુકાન મેળવી લેવા માટે ભાડુઆતે ચડત ભાડુ લાંબા સમયથી ભરેલ ન હોવાનું જણાવી ગેરકાયદેસર કબ્જો રાખેલ હોવાનું જણાવી તાત્કાલિક દુકાન ખાલી કરી આપવાની માંગણી કરેલ હતી. જેની સામે ભાડુઆત બિપિનકુઉમાર કેશવલાલ લાખાણીએ પોરબંદરના એડવોકેટ વિજયકુમાર પંડયા મારફત બચાવ લઇ જણાવેલ હતુ કે ચડત ભાડાની રકમ સમયાંતરે મેનેજમેન્ટની ઓફિસે બ આપવા જતા હોવા છતાં સ્વીકારેલ નથી કે મનીઓર્ડર પોસ્ટ પણ રીજેક્ટ કરી માત્ર દુકાનનો કબ્જો લેેવા આતુર સંસ્થાને ભાડાની રકમમાં કોઇ ચી નથી. આમ પણ ચડત ભાડાની રકમ કોર્ટમાં જમા કરાવી આપેલ હોય તકરાર રહેતી ન હોવાનું જણાવેલ હતું. જે વકિલ વિજયકુમાર પંડયાની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઇ નાથદ્વારા ટેમ્પલ બોર્ડે દાખલ કરેલ દાવો રદ કરેલ છે અને ચડત ભાડાની રકમ કોર્ટ પાસેથી મેળવી લેવાનો હુકમ કરેલછે. આમ, વયોવૃધ્ધ બિપિનભાઇની સામે દુકાન ખાલી કરવાનો હુકમ ન થતા રાહતનો શ્ર્વાસ લીધેલ છે અને ન્યાય મળેલ હોવાનો અહેસાસ થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકી સંગઠન જૈશના મુખ્યાલય પર લાગ્યું પર્મેનન્ટ કલોઝડનું ટેગ
June 07, 2025 10:20 AM45 વર્ષ બાદ મંદ પડી નર્કના દરવાજાની આગ : વૈજ્ઞાનિકોની ભૂલને કારણે શરૂ થઈ હતી જ્વાળા
June 07, 2025 10:18 AMPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech