મોજ છલકાતા ગઢાળાનો કોઝવે તૂટયો

  • September 03, 2024 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઢાળાના પૂર્વ સરપચં નારણભાઈ આહિરે ભારે આક્રોશની લાગણી સાથેના એક નિવેદનમાં જણાવેલ છે કે ગઢાળા નો મુખ્ય રસ્તો મોજ નદીમા આવેલો છે તે ભારે વરસાદ અને ઉપરા ઉપરી ડેમ છલકાતા કોજવે બીલકુલ ધોવાઈ ગયોછે તેના મુખ્ય જવાબદાર સિંચાઈ પેટા વિભાગ અને મકાન અને માર્ગ જી.પ.ં રાજકોટ છે તેની બેદરકારીનુ પરિણામ છે આ ચેક ડેમનો પાંચ ગામના ખેડૂતોને લાભ મળતો હતો દિવાલ કયારેય રીપેર ન કરી તેને કારણે આખો ડેમ તુટી ગયો સરકાર પાણી રોકવાની વાતુ કરેછે  તેમની પાસે તાયફાઓ કરવાના પૈસા છે પણ દિવાલ રીપેર કરવાના પૈસા નથી ધારાસભ્ય એ આયોજન પચં ની ગ્રાન્ટ આવી જગ્યાએ વાપરવી જોઈએ અંતમા ચિમકી આપતા નારણભાઈ એ જણાવેલ છે કે આ અમારો કાયમનો પ્રશ્ન છે ત્યારે અમારી ધીરજ ખુટી જાય અને પાંચ ગામના લોકો સંગઠીત થઈ જલદ આંદોલન કરે તે પહેલાં નવી દિવાલ બનાવી રસ્તા ની તાત્કાલિક મરામત કરવી જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application