ભાવનગર મહાનગરપાલિકાનું દબાણ હટાવ ઝુંબેશ એસ્ટેટ વિભાગ દ્વારા જારી રાખી અને શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મનપા એસ્ટેટ વિભાગ દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં બ્લોકની કામગીરી દરમિયાન અડચણરૂપ હનુમાનજી દાદાની દેરીને ડિમોલેશન કરી તોડી પાડવામાં આવી હતી. જ્યારે રવેચી ધામ ખાતે મંદિરની પાસે મોટો શેડ અને પાકું બાંધકામ સહિતના દબાણો અંગે કર્યાવહી કરાઈ હતી. દબાણ હટાવ ટીમ દ્વારા ક્રેનની મદદથી મોટો શોડ ઉત્તરી જપ્ત કરાયો હતો. તેમજ પાકા બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.
આ સાથે લાંબા સમયથી રાજકોટ હાઇવે રોડને નારી ચોકડીથી દેસાઈનગર સુધી સિક્સ લાઈન કરવા માટેની કામગીરી ઠપ્પ થઇને પડી છે. ત્યારે મનપા દ્વારા ચિત્રા મસ્તરામ બાપાના મંદિરની સામે સિક્સ લાઈન રોડની કામગીરીમાં અડચણરૂપ દબાણો દૂર કરવા પહોંચી હતી. દબાણ હટાવ ટીમ દ્વારા પાકા બાંધકામ તોડવામાં આવતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને મહિલાઓની ટોળું ધસી આવી ઉગ્ર વિરોધ કરાયો હતો. જોકે પોલીસ કાફલો બનાવ સ્થળે પહોચી અને મામલો થાળે પડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જ્યારે દબાણ હટાવ ટીમ દ્વારા પોતાની કાર્યવાહી યથાવત શરૂ રાખવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech