ખંભાળીયા સોનલધામ ખાતે ધો-10 અને 12ના ચારણ-ગઢવી સમાજના તેજસ્વી તારલાઓને 1જુને સન્માનિત કરાશે

  • May 31, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનલ ધામ મઢડાથી પૂજ્ય ગીરીઆપા અને આઈ શ્રી હિરલમાની ખાસ ઉપસ્થિતિમાં આયોજન: શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયું: તેજસ્વી તારલાઓને સ્કોલરશીપ અને માર્ગદ્શન સેમિનારનું આયોજન



ખંભાળીયા જડેશ્વર રોડ પર આવેલ સોનલ ધામ ખાતે ચારણ-ગઢવી કુમાર છાત્રાલય ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારણ-ગઢવી સમાજના વર્ષ-2024માં ધો-10 અને 12માં પાસ થયેલ તેજસ્વી તારલાઓનું આઇશ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1મી જૂને  શનિવારે સાંજે ચાર થી છ દરમ્યાન વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


આઇ શ્રી પૂજ્ય હીરલમાં તેમજ મઢડાથી પૂજ્ય ગિરીશઆપા તેમજ સમાજ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં  શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ તકે 150 જેટલા ધો-10/12માં પાસ થયેલ ચારણ ગઢવી સમાજના તેજસ્વી ભાઈઓ બહેનોને હિરલ માતાજી, ગિરીશઆપા તેમજ  ટ્રસ્ટીઓ અને સમાજ અગ્રણીઓને હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાશે દ્વારકા જિલ્લામા ચારણ ગઢવી સમાજમાંથી જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 માં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ તેને વિશિષ્ટ પુરસ્કાર આપીને  સન્માનિત કરવામાં આવશે.


આ તકે ટ્રસ્ટના તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી હવે આગળ શું કરવું કઈ દિશામાં વધવું તે સહિતની માહિતી અને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ સાથે ઇન્દુબેન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સ્કોલરશીપ તેમજ મોટિવેશન વ્યક્તવ્ય આપવામાં આવશે.


આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, આ કાર્યકમ ને લઇ ને શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સુચારુ વ્યવસ્થા આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application