પોરબંદરમાં ભુતનાથ મહાદેવ મંદિર પાસેથી ભિક્ષુકની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ કરી અંતિમવિધિ કરવામાં આવી હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા તથા પાયોનિયર કલબ પોરબંદરના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવાને ફોન આવેલ કે, ભુતનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ચોકમાં કોઈ ભિક્ષુકનો મૃતદેહ પડયો છે.દર્શન કરવા આવતા લોકો જોવે છે પણ કોઈ ૧૦૦ નંબરને ફોન કરતુ નથી બધા ગભરાય છે.જેથી ઇન્ડિયન રેડક્રોસના નરેશભાઈ થાનકી તથા પાયોનિયર કલબના હરજીવનભાઈ કોટિયાએ સ્થળ પર જઇ વાતની પુષ્ટિ કરી અને ૧૦૦ નંબર પર ફોન કરવા જણાવ્યું હતુ.નરેશભાઈ થાનકી અને હરજીવનભાઈ કોટિયા દ્વારા ફોન પર થયેલ વાતની પુષ્ટિ કરી ૧૦૦ નંબર ઉપર ફોન કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આ સાથે અતુલભાઈ અને વિજયભાઈ પણ સાથે ગયેલ હતા.પોલીસે મૃતદેહનો કબજો લઈ હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સંસ્થાના સેવાભાવિઓએ અગ્નિ સંસ્કારની વિધિ પણ પુરી કરી હતી.રામદેવભાઇ મોઢવાડીયા અને પ્રવિણભાઈ ખોરાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,પોલીસ આપણા મિત્ર છે.તેનાથી ગભરાયા વગર આવી પરિસ્થિતિમાં આપ ગમે ત્યારે પોલીસથી ગભરાયા વગર આવી પરિસ્થિતિમાં પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech