ધો. 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ બોર્ડે રવાના કરી: વિદ્યાર્થીઓને બુધવારે મળશે

  • May 12, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ તારીખ 5 મે ના રોજ જાહેર કરી દેવાયું છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી.

બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે બોર્ડની કચેરીએથી તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને ગુણપત્રકો તથા ગુજકેટના ગુણપત્રકો રવાના કરવામાં આવનારા છે.

આજે મોડી સાંજ સુધીમાં તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અને ગુજકેટની માર્કશીટ મળી ગયા પછી તેનું વિજ્ઞાન પ્રવાહની જે તે શાળાઓને વિતરણ આવતીકાલ તારીખ 13 ના રોજ કરવામાં આવશે અને શાળાઓ તારીખ 14 ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ આપશે.

શાળાઓએ તારીખ 13 ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરી શાળાનું મુખત્યારનામું રજૂ કરીને પોતાના વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવી લેવાની રહેશે. આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી જે સ્થળ અને સમય નક્કી કરે તેને અનુસરવાનું રહેશે.

ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના અનેક ઉમેદવારો એ પણ ગુજકેટની પરીક્ષા આપી હતી. આવા પરીક્ષાથીઓને માર્કશીટ ટપાલ મારફતે મોકલી આપવામાં આવશે તેમ પણ બોર્ડ ના સતાવાર સાધનો જણાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application