હરિથી હરને જોડતી એસટી બસ દ્વારકા-સોમનાથ કરાઇ બંધ: ગ્રામજનોમાં આક્રોશ
જામનગર એસ.ટી.ડેપો દ્વારા હરિથી હરને જોડતી એસ.ટી. બસ દ્વારકા-સોમનાથ કલ્યાણપુર, લાલપુર, રાવલ સહિતના ગામડાઓના મુસાફરો માટે ખૂબ જ મહત્વની હતી, જે બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બારાડી પંથકને લગત દ્વારકા-સોમનાથ બસ સારી આવક મેળવતી હતી, આમ છતાં જામનગર એસ.ટી. ડીવીઝન દ્વારા એકાએક આ બસને બંધ કરતા ગ્રામજનોમાં તેમજ સમગ્ર બારાડી પંથકમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે.
દ્વારકા-સોમનાથ વાયા કલ્યાણપુર, ભાટીયા, રાવલ, પોરબંદર થઇને સોમનાથ તરફથી આ ટની બસ બન્ને ધાર્મિક સ્થળોને જોડતી હતી અને આ પંથકના લોકોને દર્શનાર્થે સોમનાથ જવા માટે ખૂબ જ અનુકુળ રહેતી હતી અને રાવલ અને કલ્યાણપુર, ભાટીયાના આજુબાજુના ગામડાઓમાંથી હટાણું કરવા માટે આવતા હોય જેથી એકાએક આ ટની બસ બંધ કરવામાં આવતા હાલાકી ભોગવી રહ્યા છે, આ અંગે જામનગર ડીસી, દ્વારકા ડેપો મેનેજરને પણ અવારનવાર આ બસ ચાલુ કરવા માટે લેખિત, મૌખિક રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech