લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી આ ચૂંટણીમાં ભાજપ્ના ઉમેદવારને જીતાડવા માટે તનતોડ પ્રયત્ન કરનાર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ગુરુવારે દિલ્હીમાં પોતાના વિજય માટે અને ભાજપ્ના ઉમેદવારને હરાવવા માટે કામે લાગી જશે. ગુરુવારે દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં જેની ગણતરી થાય છે તે ઈફકોના ડાયરેક્ટરોની ચુંટણી છે અને તેમાં ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે સહકારી સેલના ગુજરાતના વડા અને ગોતાના બીપીનભાઈ પટેલના નામનો ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નામથી મેન્ડેડ બહાર પાડવામાં આવ્યો છે. આમ છતાં ધારાસભ્ય રાદડિયા અને પંકજભાઈ પટેલે ફોર્મ ભયર્િ હોવાથી ગુરુવારે ત્રિપાખીઓ જંગ ખેલવામાં આવશે.
ગુરુવારે સવારે 9:00 થી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન અને ત્યારબાદ તુરંત જ મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી આ જંગમાં સપાટી પર ફ્રન્ટમાં જયેશભાઈ રાદડિયા હતા પરંતુ રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ ઇફકોના ચેરમેન અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ પણ રાદડિયાને ખુલ્લું સમર્થન આપ્યું હોવાથી સહકારી ક્ષેત્રમાં ભાજપ સામે ભાજપ્ની સાથો સાથ ભાજપ્ના પ્રદેશ પ્રમુખ પાટીલને પણ પડકાર ઉભો થયો છે.
21 ડાયરેક્ટરોના બનેલા ઈફકોના બોર્ડમાં આઠ બેઠકો રાજ્ય કક્ષાની, આઠ બેઠકો ગ્રામ્ય મંડળીઓની અને બાકીની મહિલા વિભાગની છે. ગુજરાતમાં ગ્રામ્ય મંડળી વિભાગની એક બેઠક છે અને તેમાં ભાજપ્ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ બાબતે જયેશભાઈ રાદડિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હુ ગઈકાલે મોડી રાત સુધી લોકસભાની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતો. મારા મતદારો ગઈકાલે જ દિલ્હી જવા નીકળી ગયા છે. હું આજે જવાનો છું અને બાકીના મતદારો પણ આજે દિલ્હી જવા નીકળી જશે.
ભાજપ્ના આગેવાનોનુ એવું કહેવું છે કે 21 બેઠકની ચૂંટણી થવાની છે તેમાં માત્ર એક બેઠક માટે મેન્ડેટ શા માટે અપાયો છે તે સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ છેલ્લી ઘડીના સમાધાનના પણ કોઈ પ્રયાસો થતા ન હોવાથી હવે કાલે ગુરુવારે કોણ કેટલા પાણીમાં છે તેનો ખ્યાલ આવી જશે.કુલ 182 મતદારો ઇફકો ની આ ચૂંટણીમાં છે. તેમાંથી સૌરાષ્ટ્રના 95 જેટલા મતદારો છે અન્ય વિભાગના મતદારોને ખેંચવાના પ્રયાસો થઈ રહ્યા છે અને રાદડિયા જૂથ 125 જેટલા મત પોતાને મળે તેવી આશા રાખે છે. આ આશા ફળીભૂત થાય છે કે નહીં તે ગુરુવારે સાંજ સુધીમાં ખબર પડી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતું મારી સાથે પતિ-પત્નીના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોણા-મેલી વિદ્યા કરીને મારી નાખીશ
April 15, 2025 01:52 PMજામનગરમાં એસ્ટેટ વિભાગ દ્વારા ઓસવાળ હોસ્પિટલથી લઇ અને પવનચક્કી સુધીમાં દબાણો દૂર કરવામાં આવ્યા
April 15, 2025 01:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech