જામનગર : સમગ્ર દેશભરમાંથી ૨૫ હજાર બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાશે

  • February 11, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બ્રામણોના સંગઠન અને વિકાસ માટે કાર્યરત દુર્ગાધામ સંસ્થા દ્વારા રાજ્યમાં મીડિયા ક્ષેત્રે કાર્યરત બ્રામણ પત્રકારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે જેમાં દેશભરના ૨૫૦૦૦ થી વધુ બ્રામણોની ઉપસ્થિત માં  મીડિયા ક્ષેત્રે કાર્યરત રાજ્યના પસંદીદા પત્રકારોનું દુર્ગા એવોર્ડ થી સન્માન થનાર છે.

આ એવોર્ડ માટે જામનગરના સિનિયર પત્રકાર જગત રાવલની ઇલેક્ટ્રોનિક મીડિયા કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે, ઉલ્લેખનીય છેકે જગત રાવલ છેલ્લા ૩૦ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે, ફોટો જરનાલિઝમ થી કારકિર્દી શરૂ કરી આજે તેવો ઇલેક્ટ્રોનિક મીડિયામાં કાર્યરત છે, દૂરદર્શન સમાચાર સાથે તેવો ૨૪ વર્ષ થી અને ઓલ ઇન્ડિયા રેડીઓ આકશવાણી સમાચાર સાથે ૧૭ વર્ષ થી જોડાયેલા છે, જામનગરની અર્થાત ન્યૂઝના તેવો એડિટર પણ છે, જગત રાવલની દુર્ગા એવોર્ડ માટે પસંદગી થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહયો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application