હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2'ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેની રિલીઝમાં વધુ સમય નથી. આવી સ્થિતિમાં દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે. હવે ફિલ્મ નિર્માતાઓએ દર્શકોની ઉત્તેજના વધારી દીધી છે. ફિલ્મને લઈને એવી અપડેટ સામે આવી છે, જે જાણીને ફેન્સ ખુશ થઈ જશે. મેકર્સે દર્શકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. હવે 15 ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ 14 ઓગસ્ટના દિવસે જ જોઈ શકશો.
'સ્ત્રી 2'ના નિર્માતા દિનેશ વિજન, જિયો સ્ટુડિયો અને અમર કૌશિક 14મી ઓગસ્ટે જ નાઈટ શોનું આયોજન કરી રહ્યા છે. મતલબ કે હવે દર્શકો એક દિવસ અગાઉ જ ફિલ્મ જોઈ શકશે. રિપોર્ટ અનુસાર એક દિવસ પહેલા સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે 14 ઓગસ્ટે સાંજે 7.30 વાગ્યા પછી શરૂ થશે. અગાઉ વિજનની અગાઉની ફિલ્મ 'મુંજ્યા' માટે પણ આવા નાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યરાત્રિએ સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
14મી ઓગસ્ટે નાઇટ શો
આ સ્પેશિયલ સ્ક્રીનિંગ દેશભરમાં કરવામાં આવશે. જેના માટે માત્ર મર્યાદિત ટિકિટ હશે. 'સ્ત્રી 2'ની સાથે અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' અને જ્હોન અબ્રાહમ, શર્વરી વાઘની 'વેદા' પણ 15 ઓગસ્ટે રિલીઝ થશે. 'સ્ત્રી 2'ની ટક્કર આ ફિલ્મો સાથે જોવા મળશે. ત્યારે 14મી ઓગસ્ટે નાઈટ શો અને સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવાથી ફિલ્મને ચોક્કસ ફાયદો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ટિકિટ ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.
મેડોક હોરર કોમેડી યુનિવર્સ
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2' મેડૉક હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ છે. તેમાં 'સ્ત્રી', 'ભેડિયા' અને 'મુંજ્યા' જેવી અગાઉની હિટ ફિલ્મોના નામ સામેલ છે. 'સ્ત્રી 2'માં તમન્ના ભાટિયા, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી ફરી એકવાર તેમની કોમિક શૈલીથી આપણને હસાવશે. આમાં વરુણ ધવનનો કેમિયો પણ જોવા મળશે. 'મુંજ્યા'માં પણ વરુણનો કેમિયો હતો. 'સ્ત્રી 2' 2018ની 'સ્ત્રી'ની સિક્વલ છે. પ્રથમ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તેમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી જોવા મળ્યા હતા. આ વખતે ફિલ્મમાં શિરચ્છેદનો આતંક બતાવવામાં આવશે. 'સ્ત્રી 2'ના ત્રણ ગીતો આવી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech