ઉનાળો એટલે ભાતભાતના અથાણા બનાવવા આરોગવા અને ભોજનને વિવિધ રસથી ચટાકેદાર બનાવવાની મોસમ. સોમનાથ પ્રભાસપાટણની શાક બજારમાં ગરમળનું આગમન થયું છે. ધીમે ધીમે ગુંદા, અથાણાની મોટી કેરી, કેરડા વગેરે આવતા થશે અને ચૈત્ર-વૈશાખ માસમાં અથાણા બનાવી શકાય તેવી વસ્તુઓથી શાક બજાર ધમધમી ઉઠશે.
ગરમળનું વાવેતર દિવાળીના અરસામાં થાય છે અને તેનો પાક ચૈત્ર મહિનામાં આવે છે. ગરમળનો આકાર ઓકટોપસ જેવો હોય છે અને ગરમળ કંદમુળ છે જે જમીનના નીચેના ભાગમાં ઉગે છે. ગરમળનો રંગ માટીના રંગ જેવો હોય છે. બહાર ડાંડલી સાથેના પાન હોય છે. ગરમળ પાકતા તેને બહાર કાઢી માર્કેટીંગ યાર્ડ ખાતે વેચાણમાં મોકલાય છે. જયાંથી રાજકોટ, સુરત, અમદાવાદ, ગોંડલ અને અન્ય જિલ્લ ામાં ખરીદારો લઈ જાય છે. ગરમળનું આખા વર્ષનું અથાણું ઘરમાં રખાય છે. ગરમળનો સ્વાદ તુરો થોડો ખારો હોય છે. પરંતુ ઉનાળાના કેરીના મીઠા રસની સામે આ સ્વાદ સમતલ રહે છે અને આરોગ્યની દ્રષ્ટીએ તેમાં અનેક ગુણ સમાવિષ્ટ હોય છે. ગરમળના ડાળખાને મીઠું, હળદર, લીંબુ ભમરાવી ભોજનની સાથે અથાણામાં પણ ઉપયોગમાં લેવાય છે. ગરમળ એ સોમનાથ પંથકનો વિશિષ્ટ પાક છે જેની સ્વાદ શોખીનો પણ રાહ જોતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech