રાજ્ય અને દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે પરંતુ પોરબંદરમાં આરોગ્ય વિભાગ અને ભાવસિંહજી હોસ્પિટલનું તંત્ર દરરોજ કેટલા ટેસ્ટ થઇ રહ્યા છે સહિતની વિગતોની સીટ જાહેર કરવાનું અગમ્ય કારણોસર ટાળી રહ્યા છે અથવા છૂપાવી રહ્યા છે તે બાબત શરમજનક ગણવામાં આવી રહી છે અને પોરબંદરના સરકારી માહિતીખાતાના અધિકારીઓ દ્વારા આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલનું તંત્ર કોઇ જ વિગતો જાહેર કરતુ નથી તેથી તંત્રની બેદરકારી સામે આક્રોશ વધ્યો છે.
કોરોનાની નવી લહેરનું દેશ અને દુનિયામાં આગમન થઇ ચૂકયુ છે અને શઆતમાં ભારતમાં અને ત્યારબાદ ગુજરાતમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે અને અમદાવાદ-રાજકોટ જેવા શહેરોમાં તો કોરોનાબ્લાસ્ટ થયો હોય તેમ ખુબજ મોટી સંખ્યામાં કોરોનાના આંકડા જાહેર થઇ રહ્યા છે તો બીજી બાજુ સરકારી ભાવસિંહજી હોસ્પિટલનું તંત્ર અને આરોગ્ય વિભાગ આ બાબતે મૌન ધારણ કરીને બેસી ગયુ છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યુ છે ત્યારે સ્વાભાવિક રીતે પોરબંદરમાં પણ કોરોનાના કેસ આવે તેવી શકયતા જણાઇ રહી છે તેથી પોરબંદરમાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્રના પ્રેસગૃપમાં અગાઉ જે રીતે કોરોનાના ટેસ્ટીંગના આંકડાની સીટ મુકવામાં આવતી હતી તે સીટ નિયમિત રીતે મૂકવામાં આવે તેવી પત્રકારો દ્વારા માંગ થઇ હતી અને આ અંગે પોરબંદરના માહિતીખાતાના અધિકારીઓનું પણ ધ્યાન દોરીને આરોગ્ય વિભાગ અને ભાવસિંહજી હોસ્પિટલ સાથે સંકલન સાધીને દરરોજ માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સરકારી માહિતી ખાતા દ્વારા હોસ્પિટલના અધિકારીઓનું આ મુદ્ે ધ્યાન દોરીને કોરોનાના ટેસ્ટના આંકડાની વિગત જાહેર કરવા જણાવ્યુ હતુ પરંતુ કોઇ અગમ્ય કારણોસર સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ આંકડા જાહેર કરવામાં માનતા નથી અથવા તો વિગત જાહેર કરવામાં કોઇની લાજ કાઢી રહ્યા છે તેવું જણાઇ રહ્યુ છે. કારણકે અગાઉ ભૂતકાળમાં જ્યારે કોરોનાનું સંક્રમણ બેહદ ફેલાયુ હતુ ત્યારે કોરોનાના કેસ અને મૃત્યુના કેસ પણ સ્થાનિકતંત્ર છુપાવતુ હતુ અને તે મુદ્ે કોર્ટમાં લડત સુધીની તૈયારી બતાવાઇ હતી અને તત્કાલીન કલેકટરનો ભોગ પણ લેવાયો હતો તેમ છતાં પોરબંદરનું આરોગ્ય વિભાગનું રેઢિયાળ તંત્ર સુધર્યુ ન હોય તેમ કોરોનાના દૈનિક કેટલા ટેસ્ટ કરવામાં આવે છે તેની વિગત છુપાવી રહ્યુ હોય તેમ જાહેર કરતુ નથી ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ફરીથી પોરબંદરના આરોગ્ય વિભાગને બેદરકારીના ઘેનમાંથી જગાડે અને નિયમિત રીતે કોરોનાના આંકડા અને ટેસ્ટની સાચી વિગત જાહેર થાય તેવું પોરબંદરવાસીઓ ઇચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech