અભિનેતાએ પહેલા કહ્યું મને એટેક આવ્યો છે, બાદમાં કહ્યું મારી ભૂલ હતી

  • September 13, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના એક્ટર મોહસીન ખાનની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. તેમને કાર્તિક ગોએન્કાના પાત્ર માટે પસંદ કરવામાં આવે છે. મોહસીન આજકાલ ટીવી શોથી દૂર છે. તેણે મ્યુઝિક વીડિયો અને વેબ શોમાં કામ કર્યું છે. તેણે તેના સ્વાસ્થ્ય વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, ત્યારથી તે ચર્ચમાં છે. તેણે ખુલાસો કર્યો છે કે તેણે અઢી વર્ષનો બ્રેક લીધો હતો અને તેનું કારણ તેની તબિયત હતી. થોડા અઠવાડિયા પહેલા મોહસીન ખાનને મામૂલી હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેણે હવે તેના પ્રથમ નિવેદનને ભૂલ ગણાવી છે.


મોહસીન ખાનને હાર્ટ એટેક નથી આવ્યો

મોહસીન ખાને જણાવ્યું કે તેમને ફેટી લીવરની સમસ્યા છે અને ગયા વર્ષે તેમને માઇનોર હાર્ટ એટેક પણ આવ્યો હતો. તેના ચાહકો માટે આ એક મોટો આઘાત હતો અને આ ચર્ચાએ લોકોમાં હલચલ મચાવી દીધી હતી. તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવો પડ્યો અને તેણે કહ્યું કે આ માટે તેણે 2-3 હોસ્પિટલો બદલી છે. જોકે, બાદમાં મોહસિને પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. એક્ટર મોહસીન ખાને કહ્યું કે, તેને હાર્ટ એટેક નહીં પણ ગેસ્ટ્રાઈટિસનો હુમલો આવ્યો હતો. તેમના તરફથી અગાઉના નિવેદનને વ્યાકરણની ભૂલ ગણાવી છે.


મોહસીન ખાને કરી મોટી ભૂલ

હવે મોહસીન ખાને કહ્યું કે થોડી ગેરસમજ હતી અને મને હાર્ટ એટેક નથી આવ્યો. પણ ગેસ્ટ્રાઈટિસનો હુમલો આવ્યો હતો. હું સમજી શક્યો નહીં કે શું થયું કારણ કે તે પહેલાં ક્યારેય બન્યું ન હતું. તેણે વધુમાં કહ્યું કે જે રીતે હાર્ટ એટેક વખતે દુખાવો થાય છે તે જ રીતે મને તે સમયે પણ દુખાવો થતો હતો. દુર્ભાગ્યે મારા સ્વાસ્થ્યને લગતી વાતચીત વાઈરલ થઈ હતી જે ખરેખર એક કલાકના વીડિયોમાં માત્ર બે મિનિટ ચાલી હતી અને હાર્ટ એટેકની વાત પર ફેલાઈ ગઈ હતી. તેથી, મેં વિચાર્યું કે મારે થોડા દિવસો રાહ જોવી જોઈએ અને આ અફવાને સમાપ્ત કરવી જોઈએ કારણ કે હું લોકોને વધુ ભ્રમમાં  રાખવા માંગતો નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application