એલસીબી પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી અને ગઢવીના બે પરિવારો વચ્ચે ચાલતા મનદુ:ખના પરિણામ રૂપ રવિવારે સાત શખ્સો દ્વારા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણમાં એલસીબી પોલીસે હત્યા પ્રકરણમાં સંડોવાયેલા છ આરોપીઓને દબોચી લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચકચારી એવા આ હત્યા પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ગઢવી ડાવાભાઈ સંધીયા તથા નાગાજણભાઈ રણમલભાઈ દ્વારા તેઓના પરિવારના બે યુવાનો દ્વારા આરોપી પરિવારોની બે યુવતીઓ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષ થયા ચાલ્યા આવતા આ પ્રકરણમાં રવિવારે રાત્રિના સમયે મોટા આસોટા ગામના ગઢવી કારૂ વારજાંગ જોગાણી, ગઢવી જીવા ભીખા જોગાણી, ગઢવી જગુ ભીખા જોગાણી, ગઢવી કુંભા વીરા જોગાણી, ગઢવી દેવીયા કુંભા જોગાણી અને ગઢવી પોલા કુંભા જોગાણી સહિતના કુલ સાત શખ્સો લોખંડના પાઇપ, ધારીયા, લાકડીના ધોકા તથા પથ્થર જેવા હથિયારો સાથે ધસી આવી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને સામાન ઇરાદો પાડવાના ઇરાદે નાગાજણભાઈ રણમલભાઈની વાડીએ ઘસી આવ્યા હતા અને આ સ્થળે રહેલા ડાવાભાઈ રણમલ સંધીયા અને નાગાજણભાઈ રણમાલભાઈ સંધીયા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો
આ ઘાતક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડાવાભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નાગાજણભાઈને વધુ સારવાર અર્થે જામનગરથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ તથા એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપીઓને મોટા આસોટાના જુદા જુદા વિસ્તારોમાંથી દબોચી લીધા હતા. વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, વી.આર. શુક્લ સાથે સ્ટાફના સજુભા જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ધરણાંતભાઈ ચાવડા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech