જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મની લોન્ડરીંગ અંગેનો કેસ નોંધાયો હતો, અને જેમાં તે નાસ્તો ફરતો રહ્યો હતો. જેની પેરોલફર્લો સ્ક્વોર્ડ ની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને રાજકોટ પોલીસને સુપ્રત કરી દેવાયો છે.
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં વાછરાડાડા ના મંદિર પાસે રહેતો પૃથ્વીરાજસિંહ ભરતસિંહ કંચવા, કે જેની સામે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૩ ની સાલમાં આઈપીસી કલમ ૩૦૬,૩૮૬ તેમજ મની લોન્ડરિંગ એકટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં પોતે નાસ્તો ફરતો રહ્યો હતો.
જે આરોપી જામનગરમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ની ટીમેં ગઈકાલે રાંદલ નગર વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે, અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech