પાકિસ્તાન દ્વારા કરાયેલા આક્રમણને પશ્ચિમ દ્વારા વિવાદમાં ફેરવી દેવાયું

  • March 19, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વૈશ્વિક નિયમોના પશ્ચિમના પસંદગીયુક્ત એપ્લિકેશનને હાઇલાઇટ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈકાલે જણાવ્યું હતું કે ભારતે 1948 થી ભારતે જમ્મુ અને કાશ્મીરના એક ભાગ પર પાકિસ્તાનનો સૌથી લાંબો ગેરકાયદેસર કબજો સહન કર્યો અને આક્રમણને વિવાદિત બનાવવામાં આવ્યું.


રાયસીના ડાયલોગના એક ઇન્ટરેક્ટિવ સેશનમાં જયશંકરે જણાવ્યું હતું કે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સંબંધિત કેસ પરના વૈશ્વિક નિયમો ક્યારેય એકસરખી રીતે લાગુ કરવામાં આવ્યાં નથી કારણ કે તેમણે વર્તમાન વિશ્વ વ્યવસ્થામાં ખામીઓ વિશે વાત કરી હતી.


‘થ્રોન્સ એન્ડ થૉર્ન્સ: ડિફેન્ડિંગ ધ ઈન્ટિગ્રિટી ઑફ નેશન્સ" ની થીમ સાથેના સત્રમાં એક્સટર્નલ અફેર મિનિસ્ટરે આ ટિપ્પણી કરી હતી. જે યુએનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


બીજા વિશ્વયુદ્ધના અંતથી વૈશ્વિક નિયમોના અસમાન ઉપયોગના કિસ્સાઓ છે તેવી દલીલ કરતાં જયશંકરે જમ્મુ અને કાશ્મીરના એક ભાગ પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાને ટાંક્યો અને કહ્યું કે ‘હુમલાખોર અને પીડિત સમાન હતા’.


તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી લાંબો સમય રહેલી ગેરકાયદેસર હાજરી, અન્ય દેશ દ્વારા પ્રદેશ પર કબજો કરવો એ ભારત સાથે સંબંધિત છે. જે અમે કાશ્મીરમાં જોયું.


તેમણે વધુમાં કહ્યું કે અમે યુએન ગયા. જે આક્રમણ હતું તેને વિવાદમાં ફેરવી દેવામાં આવ્યું. જેથી હુમલાખોર અને પીડિતાને સરખા કરી દેવામાં આવ્યા. દોષિત પક્ષકારો કોણ હતા? યુકે, કેનેડા, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, યુ.એસ. તેથી, માફ કરો પણ મને તે જૂના ઓર્ડર પર કેટલાક પ્રશ્નો છે.


તેમની ટિપ્પણીઓમાં જયશંકરે ‘મજબૂત અને ન્યાયી’ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે વાત કરી અને કહ્યું કે વૈશ્વિક ધોરણો અને નિયમો એકસરખી રીતે લાગુ થવા જોઈએ. તેમણે કહ્યું કે અમને એક મજબૂત યુએનની જરૂર છે પરંતુ એક મજબૂત યુએનને પ્રમાણિક યુએનની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application