પહેલગામ આતંકી હુમલાથી સમગ્ર જિલ્લામાં ભારે આક્રોશ ઠેર ઠેર વિરોધ, મૌન, તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

  • May 03, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓએ કરેલી હત્યાના મામલે સમગ્ર સિહોર અને જિલ્લામાં વિવિધ સંસ્થાઓ, સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રધ્ધાંજલીના કાર્યક્રમો યોજીને પહેલગામ આતંકી ઘટનાને વખોડી હતી.
સિહોરની જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જમ્મુ કાશ્મીર પહેલગામ માં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ૨૭ આત્મા ને શાંતિ માટે સ્કુલ ના આચાર્ય, શિક્ષક સ્ટાફ તેમજ વિધાર્થિનીઓ એ શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં તાજેતરમાં
આતંકી હુમલામાં શહીદ થયેલા દિવંગત આત્માઓના દિવ્ય કલ્યાણ અર્થે જ્યારે સમગ્ર દેશમાં શોકમાં ગરકાવ થયેલ છે અને દરેક જગ્યાએ શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે. ત્યારે સિહોર જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે બે મિનિટનું મૌન પાળી આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના આત્માના કલ્યાણ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application